Cricket News: IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો ફેરફાર કર્યો છે. CSKએ રૂતુરાજ ગાયકવાડને નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોની ટીમની કેપ્ટનશીપ નહીં કરે. ધોની લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન રહ્યો. તેમની કપ્તાની હેઠળ CSKએ પણ પાંચ વખત ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે તેઓ આ જવાબદારી સંભાળશે નહીં. ધોનીનો કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગમાં પણ સારો રેકોર્ડ છે. રૂતુરાજ પ્રતિભાશાળી ખેલાડી છે. આ કારણોસર મેનેજમેન્ટે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
IPL પહેલા ધોનીના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે તેની જગ્યાએ ઋતુરાજ ટીમની કમાન સંભાળશે. ધોની આઈપીએલ 2008થી ટીમ સાથે છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચુક્યું છે. CSK એ 2010, 2011, 2018, 2021 અને 2023 માં IPL ટાઇટલ જીત્યું હતું. CSKએ ગત સિઝનની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.
ટીમની કેપ્ટનશિપ પર CSKએ શું કહ્યું?
ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમની કેપ્ટનશીપને લઈને નિવેદન જાહેર કર્યું છે. CSKએ કહ્યું, “મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024 પહેલા ટીમની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે.” ઋતુરાજ 2019થી ટીમ સાથે જોડાયેલા છે. તેણે અત્યાર સુધીમાં 52 મેચ રમી છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
કેવું રહ્યું ઋતુરાજનું IPL પ્રદર્શન –
જો રુતુરાજનું આઈપીએલ પ્રદર્શન જોઈએ તો તે સારું રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 52 મેચમાં 1797 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 14 અડધી સદી ફટકારી છે. રૂતુરાજનો આઈપીએલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 101 રન છે. તેણે ગત સિઝનમાં 16 મેચમાં 590 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ઋતુરાજનો સર્વશ્રેષ્ઠ સ્કોર 92 રન હતો. રૂતુરાજે 2020માં પહેલીવાર IPL મેચ રમી હતી. તેને આ સિઝનમાં 6 મેચમાં રમવાની તક મળી છે.