આરબીઆઈએ ગુરુવારે દેશના કરોડો લોકોને મોટી ભેટ આપી છે. હવે લોકો ઈન્ટરનેટ વગર ઓફલાઈન પણ UPI દ્વારા પૈસા મોકલી શકશે. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંકે UPI લાઇટને લઈને આરબીઆઈની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતી વખતે કહ્યું કે હવે યુઝર્સ ઈન્ટરનેટ વગર UPI લાઇટ દ્વારા 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા સુધીની ચુકવણી કરી શકે છે.
RBIના આ મોટા નિર્ણયથી હવે દેશમાં ડિજિટલ પેમેન્ટની પહોંચ વધુ વધશે. તમને જણાવી દઈએ કે, દેશના મોટાભાગના લોકો દરેક નાના-મોટા પેમેન્ટ માટે UPI નો ઉપયોગ કરે છે. ઘણી વખત ઇન્ટરનેટ કે સર્વરની સમસ્યાને કારણે પેમેન્ટ અટકી જતું હતું. આવી સ્થિતિમાં લોકોને હવે ઓફલાઇન UPIનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી રાહત મળશે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ડિજિટલ પેમેન્ટના અનુભવને સુધારવા માટે AI જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમને કનેક્ટ કરવામાં અને વપરાશકર્તાના અનુભવને સુધારવામાં મદદ કરશે.
ટ્રાન્ઝેક્શન લિમિટ કેમ વધારી?
UPI લાઇટની મર્યાદા વધારવા પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકો સામાન્ય દિવસોમાં નાના વ્યવહારો માટે પણ UPI નો ઉપયોગ કરી શકે. UPI Lite લૉન્ચ થઈ ત્યારથી જ તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની માંગ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ હવે તેની મર્યાદા વધારીને 500 રૂપિયા કરી દીધી છે.
UPI લાઇટ શું છે?
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
સામાન્ય રીતે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ચૂકવણી કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડે છે, પરંતુ UPI લાઇટ દ્વારા, વપરાશકર્તાઓ ઇન્ટરનેટ વિના રૂ. 500 સુધીની ચૂકવણી કરી શકે છે. તે એક ઓન ડિવાઈસ વોલેટ સુવિધા છે જેમાં યુઝર્સ UPI PIN વગર રીઅલ ટાઈમમાં નાની રકમની ચૂકવણી કરી શકે છે. RBI એ UPI Lite માં મહત્તમ 2,000 રૂપિયા સુધીનું બેલેન્સ રાખવાની સુવિધા આપી છે.