ઓડિશાના બાલાસોરમાં અકસ્માતના 51 કલાક બાદ ટ્રેન ફરી એકવાર પાટા પર દોડી ગઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવુક રીતે હાથ જોડીને ટ્રેનને વિદાય આપી. આ અવસર પર રેલ્વે મંત્રીએ કહ્યું કે અમે દુર્ઘટના બદલ દિલગીર છીએ. પરંતુ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે પણ દોષિત ઠરશે તેને સખતમાં સખત સજા કરવામાં આવશે. તેમણે સ્થળ પર તૈનાત સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે તમે બધાએ જે રીતે કામ કર્યું છે તેના માટે સમગ્ર ટીમને અભિનંદન.
Down-line restoration complete. First train movement in section. pic.twitter.com/cXy3jUOJQ2
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023
મોડી રાત્રે 11 વાગ્યે સ્થળ પર હાજર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આખી ટીમે તુરંત કામ કરીને બંને ટ્રેકને પુનઃસ્થાપિત કરી દીધા છે. દુર્ઘટનાના 51 કલાકમાં જ ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બંને ટ્રેકની તપાસ કરવામાં આવી છે. બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે સાંજે ભુવનેશ્વરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં તેમણે જણાવ્યું કે મેઈન લાઈનમાં રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. વીજળીકરણનું કામ હજુ ચાલુ છે. રેલવે ઘાયલો અને મૃતકોના પરિવારના સંપર્કમાં છે. રેલ્વેએ સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી છે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને તેને વધુ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવશે.
ટ્રેક રિસ્ટોરેશનનું કામ પૂરજોશમાં
ઓડિશાના બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના બની હતી, ત્યાં ચોવીસ કલાક યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટનાસ્થળે હાજર છે. સેંકડો રેલવે કર્મચારીઓ, રાહત બચાવ ટીમના કર્મચારીઓ, ટેકનિશિયનથી લઈને એન્જિનિયરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ટ્રેક પર પથરાયેલા બોગીઓને હવે હટાવીને સાઈડમાં લઈ જવામાં આવી છે. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના બાકીના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા છે. બોગીમાં ફસાયેલા લોકોને પહેલાથી જ બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
સીબીઆઈ દ્વારા અકસ્માતની તપાસ કરાવવાની ભલામણ
ભલે રેલ્વે મંત્રીએ અકસ્માતની તપાસ સીબીઆઈને કરવાની ભલામણ કરી છે, પરંતુ તે જ સમયે રેલ્વે સુરક્ષા આયોગની તપાસ પણ ચાલુ રહેશે. રેલ્વે મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે તમામ એંગલથી તપાસની જરૂર છે, તેને નકારી શકાય નહીં. આ પહેલીવાર નથી કે જ્યારે ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોય.
આ પણ વાંચો
‘ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાનું અસલી કારણ ખબર પડી ગઈ’, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું મોટું નિવેદન
ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ઘટનાસ્થળે 2 દિવસથી સતત 24 કલાક રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બે દિવસ બાદ ટ્રેનની બોગીમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1100થી વધુ છે. હોસ્પિટલોમાં લાવારસ લાશોના ઢગલા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોના શબઘરોમાં જગ્યા બચી નથી. મૃતદેહોની સંખ્યાને જોતા શાળા અને કોલ્ડ સ્ટોરેજને મુર્દાઘરમાં ફેરવી દેવામાં આવ્યા છે.