VIDEO: ત્રિપલ ટ્રેન અકસ્માતના 51 કલાક બાદ ટ્રેક પર દોડી પહેલી ટ્રેન, રેલવે મંત્રીએ હાથ જોડીને વિદાય આપી

Lok Patrika
By Lok Patrika
Share this Article

ઓડિશાના બાલાસોરમાં અકસ્માતના 51 કલાક બાદ ટ્રેન ફરી એકવાર પાટા પર દોડી ગઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવુક રીતે હાથ જોડીને ટ્રેનને વિદાય આપી. આ અવસર પર રેલ્વે મંત્રીએ કહ્યું કે અમે દુર્ઘટના બદલ દિલગીર છીએ. પરંતુ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે પણ દોષિત ઠરશે તેને સખતમાં સખત સજા કરવામાં આવશે. તેમણે સ્થળ પર તૈનાત સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે તમે બધાએ જે રીતે કામ કર્યું છે તેના માટે સમગ્ર ટીમને અભિનંદન.

મોડી રાત્રે 11 વાગ્યે સ્થળ પર હાજર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આખી ટીમે તુરંત કામ કરીને બંને ટ્રેકને પુનઃસ્થાપિત કરી દીધા છે. દુર્ઘટનાના 51 કલાકમાં જ ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બંને ટ્રેકની તપાસ કરવામાં આવી છે. બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી છે.

odisha Train Accident lok patrika news

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે સાંજે ભુવનેશ્વરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં તેમણે જણાવ્યું કે મેઈન લાઈનમાં રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. વીજળીકરણનું કામ હજુ ચાલુ છે. રેલવે ઘાયલો અને મૃતકોના પરિવારના સંપર્કમાં છે. રેલ્વેએ સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી છે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને તેને વધુ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવશે.

ટ્રેક રિસ્ટોરેશનનું કામ પૂરજોશમાં

ઓડિશાના બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના બની હતી, ત્યાં ચોવીસ કલાક યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટનાસ્થળે હાજર છે. સેંકડો રેલવે કર્મચારીઓ, રાહત બચાવ ટીમના કર્મચારીઓ, ટેકનિશિયનથી લઈને એન્જિનિયરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ટ્રેક પર પથરાયેલા બોગીઓને હવે હટાવીને સાઈડમાં લઈ જવામાં આવી છે. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના બાકીના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા છે. બોગીમાં ફસાયેલા લોકોને પહેલાથી જ બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

odisha Train Accident lok patrika news

સીબીઆઈ દ્વારા અકસ્માતની તપાસ કરાવવાની ભલામણ

ભલે રેલ્વે મંત્રીએ અકસ્માતની તપાસ સીબીઆઈને કરવાની ભલામણ કરી છે, પરંતુ તે જ સમયે રેલ્વે સુરક્ષા આયોગની તપાસ પણ ચાલુ રહેશે. રેલ્વે મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે તમામ એંગલથી તપાસની જરૂર છે, તેને નકારી શકાય નહીં. આ પહેલીવાર નથી કે જ્યારે ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોય.

આ પણ વાંચો

ભગવાન હવે તો ખમૈયા કરો: ટ્રેન અકસ્માતમાં ઘાયલોને લઈ જતી બસનો થયો ભયંકર અકસ્માત, અનેક જીવો મુશ્કેલીમાં!

મજબૂરીનો લાભ લઈ લીધો: જે રૂટનું ભાડું 5-8 હજાર રૂપિયા હતું, ટ્રેન દુર્ઘટના બાદ ફ્લાઈટનું ભાડું સીધું 50 હજારને પાર થયું

‘ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાનું અસલી કારણ ખબર પડી ગઈ’, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું મોટું નિવેદન

ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ઘટનાસ્થળે 2 દિવસથી સતત 24 કલાક રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બે દિવસ બાદ ટ્રેનની બોગીમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1100થી વધુ છે. હોસ્પિટલોમાં લાવારસ લાશોના ઢગલા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોના શબઘરોમાં જગ્યા બચી નથી. મૃતદેહોની સંખ્યાને જોતા શાળા અને કોલ્ડ સ્ટોરેજને મુર્દાઘરમાં ફેરવી દેવામાં આવ્યા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly