કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિશે ઈશુદાન ગઢવીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ગઠબંધન કરશે. તો ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે,અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.
લોકસભા ચૂંટણી પહેલા ઈસુદાન ગઢીએ મોટું નિવેદન આપ્યું છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ. ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. પ્રધાનમંત્રીથી લઇને ભાજપના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યાં છે. ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી હવે આમદ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એક સાથે મળીને લડશે તેવી જાહેરાત AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે.
જો કે હવે કોંગ્રેસના નેતાઓના નિવેદન પરથી કશુ કહી શકાય એવી સ્થિતિ નથી રહી.