પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે એક રાજકીય રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પાકિસ્તાની ટીવી ચેનલ ‘જિયો ન્યૂઝ’ અનુસાર – 35 લોકોના મોત થયા છે અને 80 લોકો ઘાયલ છે. ઘટના બાજૌરના ખાર તહસીલની છે. શાસક ગઠબંધનનો ભાગ જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલ (JUI-F)ની રેલી અહીં ચાલી રહી હતી.
પાર્ટીએ કહ્યું- 35 કાર્યકરો માર્યા ગયા
JUI-Fના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાહ આ રેલીને સંબોધિત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ અહીં પહોંચી શક્યા ન હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાફિઝે કહ્યું- આ વિસ્ફોટમાં અમારા લગભગ 35 કાર્યકરો માર્યા ગયા છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આવા હુમલાઓથી અમારું મનોબળ ઓછું નહીં થાય.
હાફિઝે આગળ કહ્યું- આ પ્રકારના હુમલા ભૂતકાળમાં પણ થતા રહ્યા છે. તેમની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અમને કોઈપણ પ્રકારની સુરક્ષા પણ આપવામાં આવતી નથી. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.
ફિદાયીન હુમલાની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર – બ્લાસ્ટ લગભગ 4.30 વાગ્યે થયો હતો. આ સમયે રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એવું માનવામાં આવે છે કે હુમલાખોર પાર્ટીના સમર્થકો વચ્ચે જ હાજર હતો. એટલા માટે તેને ફિદાયીન હુમલો માનવામાં આવી રહ્યો છે.
JUI-Fના વડા મૌલાના ફઝલે ઘટના બાદ વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી અને તેમને વિગતવાર માહિતી આપી. સરકારે પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ફઝલે સમર્થકોને કહ્યું- તમે લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો અને ઘાયલોને લોહી આપો.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના કહેવા પ્રમાણે, આ હુમલો દેશને કમજોર કરવાનું વધુ એક ષડયંત્ર છે. આતંકવાદીઓનો સામનો કરવા માટે સરકાર કોઈપણ હદ સુધી જઈ શકે છે.
હુમલા પાછળ કોણ છે
JUI-F એક કટ્ટર ઇસ્લામિક સંગઠન છે અને તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેથી, આ વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો હોવાની શક્યતા ઓછી છે.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
હવે સવાલ એ છે કે તાલિબાનોએ હુમલો ન કર્યો તો તેની પાછળ કોનો હાથ હશે. પાકિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે મંત્રણા કરાવવામાં જમીયતના વડા મૌલાના ફઝલ-ઉર-રહેમાનની મહત્વની ભૂમિકા હતી. જોકે બાદમાં મંત્રણા નિષ્ફળ ગઈ હતી.