Gujarat News: કહેવામાં આવી રહ્યું છે કે આગામી તા. 27-28 દરમિયાન ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થશે, એટલે કે આજથી જ ચોમાસાની વિદાયની વાતો સંભળાઈ રહી છે. ચોમાસુ વિદાય લેવાની જે પ્રક્રિયા છે તે લગભગ 9 ઓક્ટોમ્બર સુધી ચાલશે એવું પણ પરેશ ગોસ્માવીએ વાત કરી છે. ત્યારે આવો જાણીએ કે પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાયને લઈ શું આગાહી કરી છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીએ નવી આગાહીમાં વાત કરી છે કે 9 ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે. હાલ જે બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રની જે સિસ્ટમ હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનાં સિસ્ટમનાં વરસાદની શક્યતાઓ નથી. અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે બપોરે ગરમી તેમજ તાપમાનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.
ગોસ્વામીએ આગળ વાત કરી કે બપોર પછી જે થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં ભાગ રૂપે વરસાદ આવતા હોય છે. તે છુટા છવાયા વરસાદ આવશે. જેથી જ્યાં વરસાદ પડશે ત્યાં એક થી લઈ બે ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. 28 તારીખ સુધી એટલે કે કાલ સુધી આ છુટો છવાયો વરસાદ ચાલુ રહેશે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં પણ 2 થી 8 ઓક્ટોમ્બર સુધી વરસાદ પડી શકે છે. તેમજ છુટા છવાયા વરસાદનું જોર દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્તારમાં જોવા મળે.
પરિણીતી બાદ કંગના રનૌત આ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, આ એક્ટરના ખુલાસા બાદ ચારેકોર ચર્ચા જામી
ઓફિસ અને ઘરમાં આ વસ્તુઓથી મહિલાઓને આવી શકે હાર્ટ એટેક, હાલ જ બહાર ફેંકી દો, જેથી ભોગવવું ન પડે
વિદાયની આગાહી કરી કે આજથી જ કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. વાવાઝોડાની પણ હાલમાં કોઈ જ સિસ્ટમ જોવા નથી મળી રહી. 9 ઓક્ટોમ્બર બાદ જે વરસાદ પડશે. તેને માવઠું ગણાશે. પણ આ વરસાદ જે છે તે પાણી વગરનાં જેને શિયાળુ પાક, રવિ પાકનું વાવેતર કરવું છે. તેના માટે ફાયદા રૂપ પણ બની શકે છે. અમુક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે પાણીની ખૂબ જ તંગી છે. ઘણા વિસ્તાર એવા પણ છે કે પાંચથી સાત દિવસની અંદર ખરીફ પાકની જેની અંદર અડદ, મગ તેમજ મગફળી અને કપાસ જેવા પાકો છે આ તમામ પાકોની અંદર નુકશાની પણ વરસાદનાં કારણે થઈ શકે છે. ત્યારે આ તમામ ખરીફ પાક હાલ તૈયાર થઈ રહ્યો છે.