દેશમાં એક વર્ષથી વધુ સમયથી પેટ્રોલની કિંમત સમાન સ્તરે છે. છેલ્લી વખત સરકારે 22 મે, 2023ના રોજ પેટ્રોલ અને ડીઝલના દર પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને રાહત આપી હતી. કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી નીચે તો કેટલાકમાં 100 રૂપિયાથી ઉપર ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે ભોપાલની મુલાકાત દરમિયાન પેટ્રોલના ભાવ પર ખુલીને વાત કરી હતી. જે બાદ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે પેટ્રોલના દર પર રાજનીતિ કરવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે બે વર્ષમાં બે વખત એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તેનો હેતુ લોકોના ખિસ્સા પર બોજ નાખવાનો નથી. તેમણે કહ્યું, હું દેશની જનતાને કહેવા માંગુ છું કે વિપક્ષી પાર્ટીઓ કેવી રીતે ગરીબોના ખિસ્સા લૂંટી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી દેશની જનતાને રાહત આપવામાં આવી હતી. પરંતુ બિન-ભાજપ શાસિત રાજ્યોમાંથી આ કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે, જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા લાભ લોકોને ટ્રાન્સફર કર્યા નથી.
તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓની સરકાર લોકોને લાભ આપવાને બદલે વેટમાં વધારો કરીને તેમને લૂંટી રહી છે. આ અવસરે તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના દર વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આજે ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ અને જ્યાં પણ ભાજપની આગેવાની હેઠળની સરકાર છે. તે રાજ્યોમાં પેટ્રોલ રૂ.100થી ઓછું છે. પરંતુ બિહારમાં પેટ્રોલની કિંમત 107 રૂપિયા, રાજસ્થાનમાં 108 રૂપિયા, તેલંગાણામાં 109 રૂપિયા અને કેરળમાં 110 રૂપિયા છે. વિરોધ પક્ષો જનતા અને ગરીબો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
કેદારનાથમાં ઘોડાઓને ગાંજો કેમ પીવડાવવામાં આવે? પ્રશ્ન ઉઠાવવામાં આવતા મંત્રીએ જવાબ આપ્યો
તેમણે કહ્યું કે ભાજપ હંમેશા ગરીબોની સાથે ઉભો છે અને આ જ પાર્ટીની ઓળખ છે. વિપક્ષી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, ‘ભ્રષ્ટાચારમાં સામેલ કોઈપણને બક્ષવામાં આવશે નહીં. કોઈનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું, ‘હું દરેક કૌભાંડ કરનારને સજા કરીશ’. આ પહેલા પીએમ મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.