રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની તારીખ થઇ જાહેર! PM મોદીને મળ્યું આમંત્રણ, જાણો સમારોહમાં કેટલા લોકો હાજરી આપશે

Desk Editor
By Desk Editor
Share this Article

SHRI RAM Janmbhoomi: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલા ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આવતા વર્ષે જાન્યુઆરીમાં મંદિરના ગર્ભગૃહ (શ્રી રામ જન્મભૂમિ મંદિર)માં ભગવાન રામની મૂર્તિની સ્થાપના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા છે. ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2024 ની વચ્ચે કોઈપણ દિવસે પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય છે, અને વડા પ્રધાનના સમયપત્રક મુજબ તારીખ નક્કી કરવામાં આવશે.

સોમવારે મંદિર નિર્માણ સમિતિની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, અમે વડાપ્રધાનને વિનંતી પત્ર મોકલ્યો છે. જો તેઓ તેમાં જોડાય છે, તો તેનાથી વૈશ્વિક સ્તરે ભારતની છબીને વેગ મળશે.”

 

 

રામ જન્મભૂમિ સ્થળ પર કામ તેજ

પ્રાણપ્રતિષ્ઠાની સંભવિત તારીખો અંગે ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, “ચોક્કસ તારીખ તેઓ (પીએમ) નક્કી કરશે. તારીખ 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી વચ્ચેની હશે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠા માટે રામ મંદિરના ભોંયતળિયે કામ પૂર્ણ કરવાની મુદત નજીક આવી રહી છે ત્યારે ટ્રસ્ટે સ્ટાફ અને કામદારોની સંખ્યામાં વધારો કરીને અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર કામગીરી તેજ કરી દીધી છે.

24 કલાક થઈ રહ્યું છે કામ

અગાઉ રામ મંદિર સંકુલમાં 550 કર્મચારીઓ કામ કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહમાં ટ્રસ્ટે આ સંખ્યા વધારીને 1,600ની આસપાસ કરી દીધી છે. જે કામ પહેલા 18 કલાકની શિફ્ટમાં થતું હતું તે હવે ચોવીસ કલાક થઈ રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં મંદિર ભક્તો માટે ખોલી શકાય તે માટે ટ્રસ્ટે ડિસેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ નક્કી કરી છે.

 

વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે

IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન

હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ

 

સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગર્ભગૃહના ભોંયતળિયે માત્ર ફ્લોરિંગ અને વીજળી સંબંધિત કામ પૂર્ણ થવાનું બાકી છે, જ્યાં આગામી વર્ષે જાન્યુઆરીમાં એક ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાપના સમારોહ દરમિયાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસરની અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે દેશભરના તમામ મોટા મંદિરોમાં સમારોહ યોજાશે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય મંદિરની જમીન અને પહેલા માળનું કામ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે.

 

 


Share this Article