Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendr modi) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમણે બનાસકાંઠામાં રોડ શો યોજ્યો હતો. પીએમ મોદીએ અંબાજી મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેમની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ગુજરાતમાં કેટલાંક હજાર કરોડ રૂપિયાની કિંમતની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
પીએમ મોદી મહેસાણામાં 5,800 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મહેસાણામાં લગભગ 5800 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં રેલ, રોડ, પીવાના પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોની પરિયોજનાઓ સામેલ છે. જેનો લાભ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિત સાત જિલ્લાઓને મળશે.
PM Shri @narendramodi performs Darshan and Pooja at Ambaji Temple in Chikla, Gujarat. https://t.co/eZHaY8rBE0
— BJP (@BJP4India) October 30, 2023
પ્રધાનમંત્રી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નાં ન્યૂ ભાંડુ-ન્યૂ સાણંદ (એન) સેક્શનનું ઉદઘાટન કરશે. તેને લગભગ 3000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. મોદી વિરમગામ-સામખિયાળી રેલવે લાઇનના 182 કિલોમીટરના ડબલિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
વલસાના બેરેજનું ઉદ્ધાટન કરશે પીએમ મોદી
નરેન્દ્ર મોદી મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામ તળાવોના રિચાર્જ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વલસાના બેરેજનું ઉદઘાટન કરશે. આ સાથે બનાસકાંઠા અને ધરોઇ ડેમ આધારિત પાલનપુર જીવાદોરીમાં પીવાનું પાણી પૂરું પાડવાની બે યોજનાઓ શરૂ કરવામાં આવશે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પીએમ મોદી સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેઓ સાબરકાંઠાના નરોડા-દેહગામ-હરસોલ-ધનસુરા માર્ગને પહોળો કરવા અને તેને મજબૂત બનાવવા, ઉત્તર ગુજરાતમાં પાલનપુર, સિદ્ધપુર, બાયડ અને વડનગર ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.
BREAKING: ભારતમાં ફરીથી બે ટ્રેનો ધડાકાભેર સામસામે અથડાઈ, લાશોનો ઢગલો, મોતનો આકંડો વધે એવી શક્યતા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને કતારની ઘટનાથી રોકાણકારોમાં ફફડાટ, ભારતને 20,300 કરોડનું નુકસાન
મંગળવારે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી એકતા નગરમાં વિવિધ પ્રવાસન-કેન્દ્રિત સુવિધાઓનું ઉદઘાટન કરશે.