ગુજરાતના નવા યુગના પ્રચલિત સંગીતકાર જગદીશ ઇટાલિયા એ પ્રાદેશિક રચનાઓની આકર્ષક રજુઆત દ્વારા લોકોના હ્રદયમાં મહત્વનુ સ્થાન મેળવ્યું છે જેમણે માત્ર સંગીત પ્રેમીઓના દિલ જ જીત્યા નથી પણ પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ અને પ્રશંસા પણ મેળવી છે અને તેમનું ‘આંખ નો અફીણી’ ગીત 80 લાખ કરતાં પણ વધારે લોકો દ્વારા સાંભળવામાં આવ્યું છે ,જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થયો હતો.જગદીશ ઇટાલિયાએ પોતાના મધુર અવાજમાં હરિ તુ, વાલમ આવો ને, અમે મૈયારા, તુ જ સે હી, રામ સભામા અને ખૂબ જૂના ગીતોને નવો રૂપ આપીને નવી પેઢી સાથે જોડવાનો વેગ પૂરો પાડયો છે.
https://www.instagram.com/p/CdOa6qWPPqh/?igshid=YmMyMTA2M2Y=
સંગીતકારો અને ગાયકો ફ્યુઝન મ્યુઝિક બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે જેથી વધારે યુવાનો તેમની સાથે જોડાઈ શકે. ત્યાંરે હવે જગદીશ ઇટાલિયા એ લોકપ્રિય ભજન “મેરુ તો ડગે” ને નવા વર્ઝનમાં રિલીઝ કરીને દર્શકોને ભાવુક કરી દીધા છે. જગદીશ ઇટાલીયાના ગીત યુવાનો દ્વારા વધારે સાંભળવામાં આવી રહ્યા છે,કેમકે તેઓ ગીતોની ભાવના અને તીવ્રતા પસંદ કરી રહ્યા છે. જેનું મ્યુઝિક હાર્દિક ટેલર દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે અમન સુખડિયાએ પાનબાઈના ભજનો ના સંદર્ભમાં આવા જ એક આકર્ષક ગીતનું દિગ્દર્શક કર્યું છે.
ગાયક જગદીશ ઈટાલિયા તેમના ગુજરાતી લોકગીતો માટે જાણીતા અને લોકપ્રિય છે. પરંતુ તેઓ વિવિધ શૈલીઓ અને ભાષામાં સંગીત પર પકડ ધરાવે છે. તે ગીતોની આંતરીક લાગણીઓને એટલી સારી રીતે વ્યક્ત કરે છે કે તેમનો શાંત અવાજ દરેક પેઢીના શ્રોતાઓને આકર્ષે છે. ગાયકને ઢગલાબંધ શુભેચ્છાઓ મળી છે અને તેઓ તેમની સર્વતોમુખી પ્રતિભા માટે જાણીતો છે. જગદીશ ઈટાલિયાએ કહ્યું છે કે તેઓ જે કંઈ પણ કરે છે તેમાં સાંસ્કૃતિક સાર જીવંત રાખે છે. ભજનના પુનઃનિર્મિત સંસ્કરણ સાથે "મેરુ તો ડગે" ગાયકે વિશિષ્ટતા અને તાજગીના તત્વ સાથે સંગીતને પીરસવાનો પ્રયાસ કર્યો છે. તેમનું સંગીત આનંદદાયક છે.