મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. ઘટના બાદ લોકોએ તેને જોયું તો પોલીસ-પ્રશાસનને જાણ કરી. માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં ઘણા લોકો હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. વહીવટી અધિકારીઓની સાથે સાથે લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા.
મળતી માહિતી મુજબ, આ ઘટના પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંથી પસાર થતી એક બસ બાજુનો અવરોધ તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી. બસમાં ઘણા લોકો હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. બસમાં કેટલા લોકો હતા અને કેટલા ઘાયલ થયા તે હજુ સ્પષ્ટ નથી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો. હાલમાં જાણવા મળી રહ્યું છે કે 13 લોકોના આ અકસ્માતમાં મોત થયા છે અને હજુ પણ બચાવ કાર્ય શરૂ છે.
પોલીસે ક્રેન અને એમ્બ્યુલન્સ બોલાવી બચાવ કામગીરી શરૂ કરી
કોરોનાને લઈ સૌથી ડરામણી આગાહી, આગળના મહિનાથી રોજ 50,000 કેસ આવશે, પહેલાની જેમ જ માણસો ટપોટપ મરશે
આજુબાજુના લોકોએ તેને જોયું તો તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટના બાદ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ક્રેન બોલાવવામાં આવી છે, આ સાથે જ ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે.