ઓડિશાની ટ્રેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ અકસ્માતમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા અને 1100 જેટલા મુસાફરો ઘાયલ થયા. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ ફક્ત આ ભયાનક ટ્રેન દુર્ઘટનાનું કારણ જાણવા માંગે છે. દુર્ઘટનાને લઈને ઘણી થિયરીઓ સામે આવી છે. આવી સ્થિતિમાં એક પ્રત્યક્ષદર્શીએ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં, બાલાસોરમાં અકસ્માત સ્થળથી 20 મીટર દૂર રહેતા મેડિકલ માલિક સૌભાગ્ય રંજન સારંગી (25)એ જણાવ્યું કે અકસ્માત સમયે રેલવે ક્રોસિંગ પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. ટ્રેક પર ઓછામાં ઓછા 10-15 ગેટમેન હતા.
25 વર્ષીય યુવકે એમ પણ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી આ કામ ચાલી રહ્યું હતું. તેણે જણાવ્યું કે ગેટમેનના રૂમમાં બાંધકામ ચાલી રહ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માતના દિવસે પણ રેલવે ક્રોસિંગ પર કામ ચાલી રહ્યું હતું.
ટ્રેક પહોળો કરવાનું કામ
પ્રત્યક્ષદર્શી દુકાનદારે જણાવ્યું કે જ્યારે હું દરરોજ દુકાન બંધ કર્યા પછી જઉં છું ત્યારે જોઉં છું કે ત્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ત્યાં માત્ર રેલ્વેનું કામ થઈ રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનાથી ટ્રેકને પહોળો કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો અથડાઈ હતી. બહાનગા બજાર સ્ટેશન પાસે SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 288 લોકોના મોત થયા હતા. 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે.
કેવી રીતે થયો આટલો મોટો ટ્રેન અકસ્માત?
જણાવી દઈએ કે કોરોમંડલ એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના કોલકાતાના હાવડા સ્ટેશન અને તમિલનાડુના ચેન્નાઈ વચ્ચે ચાલે છે. આ અકસ્માતમાં 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. 7 બોગી સંપૂર્ણપણે પલટી ગઈ હતી. રેલ્વે બોર્ડે ત્રણેય ટ્રેનો એકબીજા સાથે અથડાવા અંગે વધુ એક મોટી માહિતી આપી હતી.
આ પણ વાંચો
જોરદાર નવું લાયા, દર્શકો સાથે હનુમાનજી પણ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે
બોર્ડે ડ્રાઇવરોને ટાંકીને કહ્યું હતું કે સિગ્નલમાં ખામીને કારણે અકસ્માત થયો હતો. કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે તેણે ગ્રીન સિગ્નલ જોઈને જ આગળનો રસ્તો નક્કી કર્યો હતો. તે જ સમયે, યશવંતપુર એક્સપ્રેસના ડ્રાઇવરે દાવો કર્યો હતો કે અકસ્માત પહેલા એક વિચિત્ર અવાજ સંભળાયો હતો. આ ભયાનક અકસ્માતમાં કોરોમંડલ ટ્રેનને સૌથી વધુ નુકસાન થયું છે.