Gujarat News: ગઈકાલથી જ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે કે સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો છે. ત્યારે આવતીકાલે અમદાવાદનાં લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ-સંતોની બેઠક મળશે. જેમાં આખા રાજ્યમાંથી 150 થી વધુ સાધુ-સંતો આવશે. તેમજ શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટેના બધા જ પ્રયત્નો કરવામાં આવશે.
ઋષિ ભારતી બાપુએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમદાવાદનાં લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળશે. આવતીકાલે 150 થી વધુ સાધુ-સંતો લંબે નારાયણ આશ્રમ ખાતે આવશે. ત્યારે જો શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટે પ્રયાસ થશે. ઋષિ ભારતી બાપુએ પોતાના નિવેદનમાં એવી પણ વાત કરી કે જો શાંતિપૂર્ણ નિરાકરણ નહી આવે તો બીજી રીતે સમજાવવા પડશે. તે શાસ્ત્ર અને શસ્ત્ર બંને રીતે સમજાવતા આવડે છે.
હનુમાનજીને સહજાનંદનાં ભક્ત બતાવ્યા તે માત્ર દૂર થવા જોઈએ. તેમજ આવો વિવાદ ફરી ન થાય તે માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. રવિવારનાં રોજ સવારે લંબે નારાયણ આશ્રમ શાંતિપુરા ખાતે સંતોની મીટીંગનું આયોજન થયેલ છે. ત્યારે આ મીટીંગમાં સૌ પ્રથમ પ્રેમ પૂર્વક કઈ રીતે માર્ગ નીકળે તેનાં પ્રયાસો કરવામાં આવશે. જો શાંતિથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે તો ઉત્તમ વાત છે.
બાપુએ વાતમાં આગળ ઉલ્લેખ કર્યો કે ષઠ લોકો બીજી ભાષામાં ન સમજે તો બીજી રીતે સમજાવવા પડે. સનાતન ધર્મનાં ભાઈ-બહેનોનો, સાધુ સંતોનો એક જ પ્રશ્ન છે કે હનુમાન દાદાને સહજાનંદ સ્વામીનાં જે દાસ બનાવ્યા છે એ ભીંત ચિત્રો દૂર થવા જોઈએ તે અમારી માંગણી છે તો એ ભીંત ચિત્રો હજુ કેમ દૂર નથી થતા.