Seema Haider:પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત ભાગી ગયેલી સીમા હૈદરની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. જ્યારથી સીમા હૈદરની શોધના સમાચાર આવ્યા છે ત્યારથી લોકોમાં તેના વિશે જાણવાની ઈચ્છા વધી રહી છે. ન્યૂઝ ચેનલો અને બ્લોગર્સ સીમા હૈદર અને સચિન મીનાની લવ સ્ટોરી સાથે જોડાયેલા ઘણા રસપ્રદ તથ્યો સામે લાવ્યા છે. હવે એક નિર્માતાએ સીમા હૈદર અને સચિન મીના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે.
નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ફિલ્મ નિર્માતા અમિત જાનીએ પણ સીમા હૈદર સાથે ફિલ્મ વિશે વાત કરી છે. નવાઈની વાત એ છે કે આ ફિલ્મમાં સીમા હૈદર પણ લીડ રોલમાં હશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સીમા હૈદર તેની લવ સ્ટોરી સાથે જોડાયેલી ફિલ્મમાં RAW એજન્ટની ભૂમિકા ભજવશે.
ફિલ્મનું નામ ‘કરાચી ટુ નોઈડા’ હશે. જણાવી દઈએ કે અમિત જાની હાલમાં કન્હૈયાલાલની હત્યા પર ફિલ્મ બનાવી રહ્યા છે. નૂપુર શર્માને ટેકો આપનાર ઉદયપુરના દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જે બાદ અમિત જાનીએ દરજી કન્હૈયા લાલના જીવન પર ફિલ્મ ‘એ ટેલર મર્ડર સ્ટોરી’ બનાવવાની જાહેરાત કરી હતી, જેના પર કામ પણ ચાલી રહ્યું છે.
જો ટ્રેન ઉભી ના રહી હોત તો…’, RPF જવાનનો સૌથી ડરામણો ખુલાસો, ફાયરિંગ કાંડની તપાસ કરનાર ટીમ ચોંકી ગઈ!
નૂહ અને ગુરુગ્રામ કાંડ પછી લગભગ 5,000 મુસ્લિમ વિક્રેતાઓએ શહેર છોડી દીધું, દંગા પછી જોરદાર ભયનો માહોલ
પતિએ પત્ની અને પાડોશીને બેડરૂમમાં રંગેહાથ ઝડપ્યા, ગુસ્સે થઈને બન્નેને ત્યાં જ કાપી નાખ્યા, કુહાડીથી કાંડ કર્યો
કન્હૈયાલાલ પર બની રહેલી ફિલ્મને લઈને અમિત જાનીને ધમકીઓ પણ મળી છે. તેને ચેતવણી આપવામાં આવી છે કે આ ફિલ્મ ન બનાવવી જોઈએ, તે વાતાવરણને બગાડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે ધમકીઓ મળ્યા બાદ અમિત જાનીએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે. અમિત જાનીએ ટ્વિટર પર મેરઠ અને નોઈડા પોલીસને ફરિયાદ કરી અને એમ પણ કહ્યું કે તેઓ આવી ધમકીઓથી ડરતા નથી.