મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા બુધવારે મુંબઈમાં બોલાવવામાં આવેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકમાં પાર્ટીના 53માંથી લગભગ 35 ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ સંખ્યા વધી પણ શકે છે. ધારાસભ્ય અનિલ પાટીલે દાવો કર્યો હતો કે પાર્ટીના 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ મીટિંગ દરમિયાન અજિત પવારે કહ્યું, ‘જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવાના હતા ત્યારે શરદ પવારે અમને કહ્યું હતું કે તમારે શપથ સમારોહમાં જવું પડશે. હું બધા સાથે શપથ સમારોહ માટે ગયો હતો. જો મેં ખોટું બોલ્યું હોય તો હું મારા બાપનો દીકરો નહીં.
અજિત પવારે કહ્યું કે, NCPએ 2004માં કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્યો હોવા છતાં મુખ્યમંત્રી પદ મેળવવાની તક ગુમાવી દીધી હતી. અજિત પવારે તેમના કાકા 83 વર્ષીય શરદ પવાર પર કટાક્ષ કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. તેમણે કહ્યું કે, ભાજપ 2014માં નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ સત્તામાં આવી હતી.
નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું, ‘હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માગું છું જેથી લોક કલ્યાણ માટેની મારી કેટલીક યોજનાઓ લાગુ કરી શકાય.’ તેમણે કહ્યું, શરદ પવાર અમારા ભગવાન છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.
તે જ સમયે, પ્રફુલ્લ પટેલે કહ્યું કે, જ્યારે મહારાષ્ટ્રમાં MVA સરકાર પડવાની હતી, ત્યારે NCPના તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ શરદ પવારને ભાજપ સાથે જવાની વિનંતી કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે NCPના 8 MLCમાંથી 5 નેતાઓએ પણ ઉપનગરીય બાંદ્રામાં યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનંત કલસેએ કહ્યું કે અજિત પવારને ગેરલાયક ઠરવા માટે ઓછામાં ઓછા 36 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.
એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે તેમની સામે બળવો કરનાર તેમના ભત્રીજા અજિત પવારની અલગ-અલગ બેઠકોના કલાકો પહેલાં બુધવારે દક્ષિણ મુંબઈમાં બંને નેતાઓના સમર્થકોના ટોળાં તેમના નિવાસસ્થાનની બહાર ભેગા થયા હતા.
પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ
અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા
એનસીપીના શરદ પવાર જૂથ બુધવારે દક્ષિણ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં અને પક્ષના અજિત પવાર જૂથની ઉપનગરીય બાંદ્રામાં ભુજબલ નોલેજ સિટી ખાતે પોતાની બેઠક યોજી રહી છે. દક્ષિણ મુંબઈમાં સિલ્વર ઓકના નિવાસસ્થાનની બહાર એકત્ર થયેલા શરદ પવારના સમર્થકોની ભીડ વચ્ચે, પાર્ટીના એક કાર્યકર્તાએ એક પોસ્ટર પકડ્યું હતું જેમાં લખ્યું હતું કે ’83 વર્ષીય યોદ્ધા એકલા લડાઈ લડી રહ્યા છે’.