Gujarat News: રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે વધારે એક આનંદના સમાચાર સામે આવી રહ્યા છે.
3077 તલાટીની ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને અપાઈ છે. ટૂંક સમયમાં વિભાગ ભરતીની જાહેરાત બહાર પાડશે. CM ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે સારો નિર્ણય લેતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો પોલીસ ભરતીની વાત કરવામાં આવે તો હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે. છેલ્લે તલાટી, એલઆરડીની લીધેલી પરીક્ષાઓમાં પણ હસમુખ પટેલે સરસ જવાબદારી નિભાવી હતી.
જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ
એ વાત પણ સ્પષ્ટ છે કે પેપર ફૂટવાની ઘટના પર હસમુખ પટેલ આવ્યા પછી બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તે સિવાય પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.