રાજકોટમાં નવો ખેલ શરુ, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ ઉત્સવની જગ્યામાં આ શું કર્યુ, ચારેકોર મોટો હોબાળો મચી ગયો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan sampradāya) અને સનાતન ધર્મના વકરતા જતા વિવાદ વચ્ચે હવે રાજકોટમાંથી પણ નવો વિવાદ જાગ્યો છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં આવેલ બાલાજી હનુમાન મંદિર (Balaji Hanuman Temple) ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં ગણેશ ઉત્સવના આયોજનની જગ્યા પર સ્વામીજીએ રેતી કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધો હોવાનું સામે આવતા ગણેશ મંડળના સભ્યો રોષે ભરાયા છે.

 

 

સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેક સાગર સ્વામી

હિન્દુ ધર્મમાં મહત્વના ગણાતા ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે. જે પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. જોકે વિવેક સાગરે ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા રોકી દીધી હતી.

 

 

 

ગુજરાતમાં 900 થી વધુ પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક, રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી

Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો

મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

 

JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી

ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. મહત્વનું છે કે બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે.

 


Share this Article