Ahmedabad News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ સમગ્ર ગુજરાતને યાદ છે. ત્યારે આ કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી થતા પ્રજ્ઞેશ પટેલના જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કારની મઝા માણતા તથ્ય પટેલે રસ્તા પર ઉભેલા 9 માસૂમ લોકોને કચડી નાંખ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હવે શરતી જામીન મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રજ્ઞેશ પટેલ આ પહેલા કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગી ચૂક્યો છે. પરંતુ ત્યારે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે પ્રજ્ઞેશ પટેલને જામીન આપી દીધા છે.
મંગળસૂત્ર ક્યારે ના પહેરવું જોઈએ? દરેક મહિલાએ આ વાત જાણવી જ જોઈએ, અયોધ્યાના જ્યોતિષે કહી મોટી વાત
ધનતેરસના દિવસે ઘરના ચાર ખૂણામાં રાખો આ એક વસ્તુ, આખું વર્ષ એટલું કમાશો કે ધનવાન બની જશો!
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે આ પહેલા કેન્સરની સારવાર માટે મુંબઈ જવાનું કહીને જામીન અરજી કરી હતી. ત્યારે આ અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન અરજી ફગાવી નાંખી હતી. આ ઉપરાંત જેલ વિભાગને ગુજરાતના કેન્સર વિભાગમાં સારવાર કરાવવા માટે આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં તથ્ય પટેલને જેલભેગો કર્યો છે. ત્યારે તેના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકાવ્યા હતા. જેને લઈને ગુનો નોંધી કાયદાદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.