Thunderstorm threat over Gujarat : હવે ગુજરાતમાં (gujarat) નવરાત્રી પર્વની સંપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ સમયે, ચક્રવાત ‘તેજ’ ના સંકટની પણ સંભાવના છે, જોકે અમદાવાદ માટે હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને નવરાત્રિની ઉજવણીમાં કોઈ ખલેલ નહીં પડે. હવામાન વિભાગે ગુજરાત ઉપર આવી રહેલા ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે.
ગુજરાતના બંદરો પર લગાવાયું નંબર-1નું સિગ્નલ
ગુજરાત પર સંભવિત વાવાઝોડાના ખતરાને જોતા દરિયા કિનારાના બંદરો પર અનેક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પોરબંદર, વેરાવળ, ઓખા, નવલખી, બેડી, સિક્કા બંદરમાં 1 નંબરના સિગ્નલ છે. તમને જણાવી દઈએ કે સંભવિત તોફાનનો રસ્તો ઓમાન તરફ છે.
બિપરજોયની જેમ માર્ગ બદલી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકિનારે ટકરાઈ શકે છે. જો કે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ તોફાન પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપારજોયની જેમ પોતાનો રસ્તો બદલી શકે છે.
યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાશે
ચક્રવાત બિપારજોય અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું, પરંતુ તે દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના દરિયાકાંઠે ટકરાયું હતું. અત્યાર સુધી ચક્રવાતી વાવાઝોડું યમન-ઓમાનના દરિયાકિનારે ટકરાશે તેવા સંકેતો મળી રહ્યા છે.
આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી
આવી રહ્યું છે તેજ વાવાઝોડું…. 21 તારીખથી તબાહી મચાવતું રૂપ ધારણ કરશે, જાણો હવામાન વિભાગની આગાહી
બેવડા હવામાનને કારણે રોગનો પ્રકોપ વધ્યો
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં નવરાત્રીની રઢિયાળી રાતોની રોનક છવાઈ ગઈ છે. વરસાદની સહેજ પણ બીક રાખ્યા વગર યુવાનો હિલોળે ચઢ્યા છે. જોકે હવે અમદાવાદ સહિત કેટલાક શહેરોના વાતાવરણમાં સવારે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં મિશ્ર ઠંડી અને ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બેવડી ઋતુના કારણે બીમારીના કેસ પણ વધ્યા છે. તાવ, શરદી- ખાંસી જેવી બિમારીઓથી પીડાતા દર્દીઓથી ખાનગી દવાખાના અને હોસ્પિટલો ઉભરાઈ રહ્યા છે.