વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર મેચ બાદ મેદાનમાં આવ્યા આમને-સામને

Lok Patrika Desk
By Lok Patrika Desk
gambhir
Share this Article

IPL 2023માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજા સાથે ટકરાયા હતા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચર્ચા એટલી ગરમ થઈ ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફને બચાવમાં આવવું પડ્યું. તેના વિડીયો અને ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. બેંગલુરુ સામે લખનૌની ટીમની હાર બાદ આ મામલો બન્યો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એકવાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા. આ બધું સોમવારે (1 મે) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની મેચ પછી થયું. આ મેચમાં બેંગલુરુએ લખનૌને તેના જ ઘરે 18 રને હરાવ્યું હતું. મેચ જીતવા માટે બેંગલુરુની ટીમે લખનૌને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા.

gambhir

કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર ટકરાર

આ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા ચાલી હતી. ચર્ચા એટલી ગરમ થઈ ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફને બચાવમાં આવવું પડ્યું. તેના વિડીયો અને ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લખનૌ ટીમના અમિત મિશ્રા અને બેંગલુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ બચાવમાં આવ્યા હતા. IPL 2013ની સિઝનમાં પણ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો. પરંતુ આ વખતે તે લખનૌ ટીમનો મેન્ટર છે. જ્યારે કોહલી બેંગલુરુ ટીમનો પૂર્વ કેપ્ટન રહી ચૂક્યો છે.

https://twitter.com/Sportscasmm/status/1653100726103740416?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1653100726103740416%7Ctwgr%5E752d4129ead656876c19f88d9a955817df6493a5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fipl-2023%2Fstory%2Fvirat-kohli-vs-gautam-gambhir-fight-after-ipl-2023-rcb-vs-lsg-match-video-viral-tspo-1686312-2023-05-02

આ રીતે બેંગલુરુએ લખનૌને હરાવ્યું

મેચમાં આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમે 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી કેપ્ટન ડુ પ્લેસિસે 40 બોલમાં સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ 31 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 16 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી નવીન ઉલ હકે 3 વિકેટ લીધી હતી. જ્યારે અમિત મિશ્રા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી.

લખનૌની સામે 127 રનનો ટાર્ગેટ હતો. તેમનો કેપ્ટન કેએલ રાહુલ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો અને આઉટ થઈ ગયો. તે અંતમાં બેટિંગ માટે આવ્યો હતો, પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં લખનૌની ટીમ માત્ર 108 રન પર જ સમેટાઈ ગઈ હતી.

અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી આખું રાજ્ય ફફડી ગયું, 8 મેના રોજ ગુજરાતમાં આવશે ખતરનાક આંધી

ઓવરટાઇમ માટે સીધા ડબલ પૈસા! કામના કલાકો નક્કી, કર્મચારીઓને આપવી પડશે આ સુવિધાઓ, આ રાજ્યએ કર્યો નવો નિમય

આ વખતે તલાટીની પરીક્ષામાં કોઈ ઘાલમેલ નહીં થાય, આ વાતોનું ખાસ ધ્યાન રખાશે, બે કલાક પહેલા ઉમેદવારોનું સઘન ચેકિંગ

લખનૌ ટીમ તરફથી કૃષ્ણપ્પા ગૌતમે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. બેંગ્લોર તરફથી કર્ણ શર્મા અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, ગ્લેન મેક્સવેલ અને વાનિન્દુ હસરંગાને 1-1 સફળતા મળી હતી.


Share this Article