ગરમ કપડાં અને રેઈનકોર્ટ બન્ને કાઢી રાખજો, પારો જોરદાર નીચે ગગડશે, સાથે વરસાદને લઈ પણ ખતરનાક આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Weather Update Today : દેશભરમાં વરસાદ બાદ અલગ-અલગ રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં (delhi) સોમવારે (16 ઓક્ટોબર) રાત્રે વરસાદે અચાનક હવામાનનો મિજાજ બદલી નાખ્યો અને આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર બુધવારે (18 ઓક્ટોબર) રાજસ્થાન, પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ અને ગોવામાં હળવા વરસાદની સંભાવના છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હી-એનસીઆરમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે. સાથે જ જો આપણે મહત્તમ તાપમાનની વાત કરીએ તો તે 33 ડિગ્રી રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ સાથે આગામી દિવસોમાં પારો વધુ ગગડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સોમવારે રાજધાનીમાં પડેલા વરસાદ બાદ તાપમાન ઘટીને 30.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશથી ત્રણ ડિગ્રી ઓછું છે.

 

વરસાદ ક્યાં પડશે?

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશના શિમલાના નારકંડા અને ખાડા પાથરમાં આ મહિનાની પહેલી બરફવર્ષા જોવા મળી હતી. આ ઉપરાંત કુલ્લુના ઊંચાણવાળા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહ્યું છે.

 

પીટીઆઈના જણાવ્યા અનુસાર કેરળમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને તિરુવનંતપુરમમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. રાજ્યના ઘણા ભાગોમાં પૂર અને પાણી ભરાવાને ધ્યાનમાં રાખીને ચેપી રોગો ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે ભારે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

 

 

નવરાત્રિમાં કાળા તલનો આ ચોક્કસ ઉપાય ભૂલ્યા વગર કરી નાખો, ગ્રહ દોષ દૂર થશે, ચારેય દિશામાં પ્રગતિ થશે

નવરાત્રિમાં અવશ્ય વાંચો રામ રક્ષા સ્ત્રોત, ભગવાન રામ પણ આશીર્વાદ વરસાવશે, મોટામાં મોટી સમસ્યાનો આવશે અંત

કેદારનાથથી જમ્મુ-કાશ્મીર સુધી હિમવર્ષા, ખૂબ જ સુંદર નજારો દિલ ખુશ કરશે, જુઓ તસવીરો

 

ઉત્તરાખંડમાં પણ લોકોએ ઠંડા કપડા ઉતાર્યા છે. અહીં ચારધામ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં સારી હિમવર્ષા બાદ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં હિમવર્ષાના કારણે લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. આ સાથે અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

 

 


Share this Article