તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મુકુલ રોય ગુમ થઈ ગયા છે. આ માહિતી તેમના પુત્ર શુભાંશુ રોયે આપી છે. તેણે દાવો કર્યો છે કે તેના પિતા ગુમ છે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકુલ રોય આજે સાંજે ઈન્ડિગો ફ્લાઈટ (6E-898) દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. આ ફ્લાઈટ આજે રાત્રે 9.55 કલાકે દિલ્હીમાં લેન્ડ થવાની હતી. પરંતુ તેમનો કોઈ પત્તો નથી.
TMC નેતાના પુત્ર શુભાંશુ રોયે દાવો કર્યો છે કે પરિવારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસ સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. પત્નીના મૃત્યુ બાદ લાંબા સમયથી બીમાર રહેલા રોયને તાજેતરમાં ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે TMC નેતા અને તેમના પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારથી મુકુલ રોય ‘ગુમ’ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી હારી ગયા પછી, પાર્ટીના નેતા મુકુલ રોય તેમના પુત્ર શુભાંશુ સાથે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયા. તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. જ્યારે મુકુલ રોય ટીએમસીમાં જોડાયા ત્યારે મમતાએ કહ્યું હતું કે ભાજપમાં ખૂબ શોષણ છે. લોકો માટે ત્યાં રહેવું મુશ્કેલ છે. ભાજપ સામાન્ય લોકોની પાર્ટી નથી. મમતાએ કહ્યું કે મુકુલ ઘરનો છોકરો છે. તે પાછો ફર્યો છે. મુકુલ સાથે મારો કોઈ મતભેદ નથી. સીએમ મમતાએ કહ્યું હતું કે જેમણે ટીએમસી સાથે દગો કર્યો છે, તેમને પાર્ટીમાં નહીં લે. અન્ય લોકો પાર્ટીમાં આવી શકે છે.
કોણ છે TMC નેતા મુકુલ રોય?
ટીએમસીએ મુકુલ રોયને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં 6 વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. TMCમાં મુકુલ રોયનું કદ મમતા બેનર્જી પછી બીજા ક્રમે હતું. જ્યારે તેમણે ટીએમસી છોડી, તેઓ ભાજપમાં જોડાયા, તેઓ 1998 થી બંગાળની રાજનીતિમાં છે. નારદા સ્ટિંગ કેસમાં મુકુલ રોયનું નામ પણ સામે આવ્યું હતું.
સોનાના દાગીના ખરીદનારાઓ માટે મોટા સમાચાર, સોનું 65,000 અને ચાંદી 80,000 રૂપિયે મળતું થઈ જશે!
મુકુલ રોય તેમની કારકિર્દીની શરૂઆતમાં યુથ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ તે સમયગાળા દરમિયાન યુથ કોંગ્રેસમાં હતા. ત્યારથી મુકુલ અને મમતા વચ્ચે રાજકીય નિકટતા વધી હતી. પિતાના પગલે તેમના પુત્ર સુભ્રાંશુ રોય પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપે સુભ્રાંશુને ટિકિટ પણ આપી હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.