Nationl News: આપણને રોજિંદા જીવનમાં લગભગ જગ્યાઓ પર અધિકારીઓ જોવા મળતા હોય છે. તેને જોઇને ઘણા લોકોને એવું થતું હશે કે, કદાચ તેઓ પણ અધિકારી બને. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, આપણા દેશમાં સૌથી તાકતવર અધિકારી કોણ છે કે, જેની પાસે સૌથી વધુ પાવર છે?
દેશમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે દરેક સ્તર પર અધિકારીઓને તૈનાત કરવામાં આવે છે. એવામાં IAS ઑફિસર પાસે સૌથી વધુ પાવર હોય છે. એમાં પણ ખાસ કરીને સચિવ પદ પર તૈનાત અધિકારી એકદમ પાવરફૂલ હોવાનું કહેવાય છે.
UPSC અંતર્ગત IAS અધિકારી બની શકાય છે. જેનું ફૂલ ફૉર્મ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. આ એક્ઝામ પાસ કર્યા બાદ તમે અધિકારી બની શકો છો.
તમને જણાવી દઇએ કે, UPSCની એક્ઝામ સેન્ટ્રલ લેવલની હોય છે. જે દુનિયાભરની એક્ઝામ કરતા વધારે અઘરી માનવામાં આવે છે. એટલે UPSC એક્ઝામમાં વિદ્યાર્થીઓએ આકરી મહેનત કરવી પડે છે. કારણ કે, ફક્ત એક પડાવ નહીં પરંતુ આ પરીક્ષા માટ ઘણા પડાવ પાર કરવાના હોય છે.