India News: ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે ચોમાસું સમય પહેલાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતા એક દિવસ વહેલું આજે ગુરુવારે કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં ત્રાટકે તેવી શક્યતા છે.
આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? આનો જવાબ હવામાનશાસ્ત્રીઓએ આપ્યો છે.
ચોમાસાના સમય પહેલા આગમનનું કારણ શું છે?
સમાચાર એજન્સી પીટીઆઈએ હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, “ચક્રવાત રેમલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે.
જોકે ચક્રવાતી તોફાન રેમલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે.
ઉત્તર-પૂર્વીય રાજ્યમાં લોકોએ જીવ ગુમાવ્યા
ચક્રવાતી તોફાન રેમલે ઉત્તર-પૂર્વીય રાજ્યો (ઈશાન ભારત)માં ભારે વરસાદ અને ભૂસ્ખલન કર્યા છે. જેના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે. આ ઉપરાંત અનેક મકાનો પણ ધરાશાયી થયા છે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
મિઝોરમના આઈઝોલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને વરસાદને પગલે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. જ્યારે આસામમાં 4, નાગાલેન્ડમાં 4 અને મેઘાલયમાં 2 લોકોના મોત થયા છે.