આજે ગુજરાતમાં જે ઘટના સામે આવી એનાથી તમારું કાળજું કંપી ન જાય તો સમજજો તમારામાં કંઈક ખોટ છે. કારણ કે અવાર નવાર દુષ્કર્મના કેસ રાજ્યમાં પણ સામે આવતા જ હોય છે. પરંતુ આજે જે કેસ સામે આવ્યો એ ખરેખર કંઈક અલગ અને એકદમ ચોંકાવનારા છે. સુરેન્દ્રનગરમાં એક પરિવારે આરોપ નાખ્યો છે કે, દોઢ વર્ષની તેમની દફનાવેલી બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે.
જ્યારથી જ આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી જ લોકોમાં અનેક ચર્ચાઓ થવા લાગી છે. હાલમાં જે વિગતો સામે આવી રહી છે એ વિશે વાત કરીએ તો બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ પરિવારજનોએ પોલીસ અને સરકારી દવાખાનાને આ ઘટના વિશે જાણ કરી હતી.
હાલમાં આ વાત આખા રાજ્યમાં પ્રકાશની ગતિએ વાયરલ કરવામાં આવી રહી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં પરિવારે આરોપ કર્યો હતો કે, 25મી ફેબ્રુઆરીના દિવસે તેમની દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતુ. આ બાળકીને જન્મથી જ હૃદયમાં કાણું હોવાની ગંભીર બીમારી હતી. જેની સારવારમાં જ મૃત્યું નીપજ્યુ હતુ. જેથી પરિવારે આ માસૂમના મૃતદેહની દફનવિધી પણ પુર્ણ કરી લીધી હતી. પરંતુ જ્યારે દફનવિધી બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળ્યો તો પરિવારને મોટો આંચકો લાગ્યો.
પરિવાર સામે આવી ચોંકાવનારી વિગતો આવી ત્યારથી જ તેમણે તાત્કાલિક પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. જોકે, દફન કરેલી મૃત બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ડોક્ટરોએ જણાવ્યુ હતુ કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતમા આવા પાપીઓ કોણ છે અને આટલી હદ સુધી જે જઈ શકે એને તંત્ર કેટલી સજા આપે છે.