Travel Story: MakeMyTrip એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાતે સુંદર ટાપુઓમાં પ્રવાસનને વેગ આપ્યો છે. ઓનલાઈન ટ્રાવેલ કંપનીએ અહેવાલ આપ્યો છે કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે પ્લેટફોર્મ પરની શોધમાં 3,400 ટકાનો મોટો વધારો થયો છે.
માલદીવના રાજનેતાઓ દ્વારા પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવવાને લઈને વિવાદ સર્જાયા બાદ આ વાત સામે આવી છે. આ દરમિયાન સોમવારે અગાઉ ભારતીય ઓનલાઈન ટ્રાવેલ એજન્સી EaseMyTrip એ જાહેરાત કરી હતી કે તેણે વિવાદને પગલે માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ રદ કરી દીધી છે.
EaseMyTripના સ્થાપક નિશાંત પિટ્ટીએ સોમવારે સવારે ટ્વિટર પર લખેલી એક પોસ્ટમાં આ નિર્ણય ‘આપણા રાષ્ટ્ર સાથે એકતામાં’ લેવામાં આવ્યો હતો. નિશાંત પિટ્ટીએ X પર લખ્યું, ‘આપણા રાષ્ટ્ર સાથે એકતામાં, EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઇટ બુકિંગ સ્થગિત કરી દીધી છે.
NewsFlash: We have observed a 3400% increase in on-platform searches for Lakshadweep ever since Honorable PM’s visit.
This interest in Indian beaches has inspired us to launch a 'Beaches of India' campaign on the platform with offers and discounts to encourage Indian travellers… pic.twitter.com/4CYb1iApZG
— MakeMyTrip (@makemytrip) January 8, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ માલદીવના એક મંત્રીની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ સર્જ્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગયા અઠવાડિયે સ્નૉર્કલિંગ કર્યું હતું અને અરબી સમુદ્રમાં આવેલા ટાપુઓનો તેમનો રોમાંચક અનુભવ શેર કર્યો હતો.
PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવના મંત્રીની પોસ્ટ પર વિવાદ, ટ્રેન્ડ થયું #BoycottMaldivesc
માફી.. માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ માગી માફી, કહ્યું- ભારત વિના અમે આગળ વધી શકીએ એમ નથી
નોંધનીય છે કે PM મોદી પર માલદીવના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી હજારો લોકોએ માલદીવ જવાની તેમની યોજના બંધ કરી દીધી છે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. હવે લોકો લક્ષદ્વીપ જવાની યોજના બનાવી રહ્યા છે.