ચિલીના જંગલોમાં ભીષણ આગ લાગી, અત્યાર સુધીમાં 46 લોકોના મોત; 1100થી વધુ ઘર બળીને રાખ થયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News: ચિલીમાં ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની ઘટનામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે અને 1100થી વધુ મકાનો ધરાશાયી થયા છે. તે જ સમયે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

મૃત્યુઆંક વધવાની ભીતિ

ચિલીના ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ જણાવ્યું હતું કે દેશના મધ્ય અને દક્ષિણમાં હાલમાં 92 જંગલો બળી રહ્યા છે, જ્યાં આ અઠવાડિયે તાપમાન અસામાન્ય રીતે ઊંચુ રહ્યું છે. તેમણે કહ્યું કે સૌથી ભયંકર આગ વાલપરાઈસો વિસ્તારમાં લાગી હતી. તેમણે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

યશસ્વીનું બેટિંગ.. બુમરાહની તેજ ઝડપ, બીજા દિવસે પણ વિદેશી ટીમની સામે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત, જાણો સ્કોર

VIDEO: ન તો સાપ.. ન કૂતરો.. શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચમાં ગ્રાઉન્ડમાં ઘુસ્યું અનોખું જીવ, ખેલાડીઓ થઈ ગયા સ્તબ્ધ, મેચ રોકવી પડી

ન તો વિરાટ.. ન રોહિત.. યશસ્વી જયસ્વાલે બદલ્યો 31 વર્ષનો ઈતિહાસ, જાણો કોણ છે સૌથી યુવા ડબલ સેન્ચુરિયન?

હજારો હેક્ટર જમીન નાશ પામી

તોહાએ જણાવ્યું હતું કે ક્વિલપુ અને વિલા અલેમાના શહેરો નજીક શુક્રવારથી બે આગથી ઓછામાં ઓછી 8,000 હેક્ટર જમીન નાશ પામી છે. તેમણે કહ્યું કે વિના ડેલ મારના દરિયાકાંઠાના રિસોર્ટ ટાઉનને પડોશી નગરો કરતાં વધુ જોખમ છે, જે આગથી સખત અસરગ્રસ્ત છે. મળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ કિનારે આવેલા વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયામાં અનેક મકાનો અને બિઝનેસ સેન્ટરોને નુકસાન થયું છે.


Share this Article