World News : આતંકી હરદીપ સિંહ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યા બાદ ભારત અને કેનેડા (canada) વચ્ચે રાજદ્વારી સંબંધો વધી ગયા છે. આ દરમિયાન કેનેડાની સત્તારૂઢ લિબરલ પાર્ટીના પૂર્વ સાંસદ રમેશ સંઘાએ (Ramesh Sangha) ખુલ્લેઆમ ભારતનું સમર્થન કર્યું છે, અને વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. “ટ્રુડોએ શરૂઆતથી જ આ મુદ્દા (ખાલિસ્તાન)નો રાજકીય ઉપયોગ કર્યો છે.
પૂર્વ સાંસદ રમેશ સંઘાએ વધુમાં જણાવ્યું હતું કે, “પન્નુ (ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુન) જેવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, જે શાંતિ માટે ખતરારૂપ છે. અમે બંને સરકારો (ભારત અને કેનેડા)ને સાથે બેસીને સમાધાન શોધવા હાકલ કરીએ છીએ. સાથે જ અમે ત્રીજા દેશથી પણ મધ્યસ્થતાની અપીલ કરીએ છીએ. આવી સ્થિતિ ઊભી ન થવી જોઈએ. પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના વડા છે.
ક્વિબેક મુદ્દે ‘આ મુદ્દાઓ ઉઠાવવા ન જોઈએ’
રમેશ સંઘાએ પણ ક્વિબેકના પ્રશ્ન પર નિવેદન આપ્યું હતું (અલગ રાષ્ટ્રની માંગ છે). “ત્યાં પહેલેથી જ લોકમત હતો, જેનો પરાજય થયો હતો. આ મુદ્દાઓ ન ઉઠાવવા જોઈએ. બંને દેશોએ સાથે મળીને સ્થિતિનો ઉકેલ લાવવા માટે કામ કરવું જોઈએ. કેનેડા લાંબા સમયથી ભારત સામે અલગતાવાદનું સમર્થક રહ્યું છે. પરંતુ, કેનેડાનો એક મોટો વિસ્તાર પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!
જસ્ટિન ટ્રુડોના પિતા પણ ભારત વિરોધી હતા?
હકીકતમાં, ક્વિબેકમાં અલગ દેશની રચના કરવાની માંગ દાયકાઓથી ઉઠાવવામાં આવી રહી છે. ક્વિબેકનો મોટાભાગનો હિસ્સો ફ્રેન્ચ છે. બે જનમત સંગ્રહ થઈ ચૂક્યા છે. કેનેડાએ બીજો જનમત સંગ્રહ માત્ર 54,000 મતોથી જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે જસ્ટિન ટ્રુડોના પિતા અને પૂર્વ વડાપ્રધાન પિયર ટ્રૂડો પણ ખાલિસ્તાન સમર્થકોની તરફેણમાં નિર્ણયો લેતા રહ્યા છે. તેમણે બબ્બર ખાલસાના વડા તલવિંદરસિંહ પરમારના પ્રત્યાર્પણની ભારતની માંગને નકારી કાઢી હતી. બાદમાં કેનેડાને તેની મોટી કિંમત ચૂકવવી પડી હતી. પરમારે એર ઇન્ડિયાના વિમાન પર બોમ્બ ધડાકા કર્યા હતા, જેમાં 268 કેનેડિયન સહિત 329 લોકો માર્યા ગયા હતા.