Breaking: હવે આ દેશમાં ભારે તીવ્રતાનો ભૂકંપ આવ્યો, રોજ ધરા ધ્રુજી રહી છે, ક્યાંક સાચે તો 2023માં પૃથ્વીનો નાશ નહીં થઈ જાય ને?

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ઇન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું. તેની ઊંડાઈ 97.1 કિમી હતી. હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી. આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના આંચકા

અહીં સવારે 11.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. આ વિસ્તારમાં એક જ દિવસમાં આ ત્રીજો ભૂકંપ છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.lokpatrika advt contact

ગુરુવાર અને બુધવારે અહી ભૂકંપ આવ્યો હતો

– અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

– તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.

– તુર્કીના એન્ટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી.

– બુધવારે બપોરે ભારતમાં દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું. જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.

– આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 કિમી દૂર જમીનથી 10 કિમી અંદર હતું.

ભારતમાં ભૂકંપની મોટી ચેતવણી

હૈદરાબાદમાં નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિસ્મોલોજી વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન. પૂર્ણ ચંદ્ર રાવે ચેતવણી આપી છે કે ભારતના ઉત્તરાખંડ પ્રદેશ અને પશ્ચિમ નેપાળના ભાગમાં ગમે ત્યારે તુર્કી જેવો ભૂકંપ આવી શકે છે. તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 45000થી વધુ લોકોના મોત થયા છે.

BREAKING: કોઈને ખબર ન પડે એ રીતે જુહી-જયા અને મહિમા જુનાગઢમાં આવીને કોરોના વેક્સિન લઈ ગઈ, આ રહ્યો પુરાવો!

રોહિત શર્મા, વિરાટ કોહલી અને MS ધોની… 3 ભારતીય ક્રિકેટરોની કમાણીની ગણતરી કરવા કેલ્યુકેટર ટૂંકા પડશે!

મુકેશ અંબાણીએ ફેંક્યો હુકમનો એક્કો! હવે રાતોરાત બમણી થશે આવક, તમે પણ જોઈ લો ઉદ્યોગપતિની ચાલ

ડૉ. રાવના મતે, ખાસ કરીને ઉત્તરાખંડનો હિમાલયન વિસ્તાર જે પશ્ચિમ નેપાળને અડીને આવેલો છે, તે સિસ્મિક ઝોન 4ની શ્રેણીમાં આવે છે અને ત્યાં ક્યારેય મોટો ભૂકંપ આવ્યો નથી, પરંતુ જમીનની અંદર થઈ રહેલા ફેરફારોને કારણે આવા ભૂકંપના આંચકા આવે છે. ભૂકંપ આવવાની ખાતરી છે.તેની તારીખ કે સમય મર્યાદા કહી શકાતી નથી.


Share this Article