Googleએ ઇઝરાયલમાં ‘લાઇવ ટ્રાફિક’ ફીચર કર્યું બંધ, સુરક્ષાને ધ્યાને લઈ ઇઝરાયેલ આર્મીએ કરી હતી વિનંતી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Israel-Hamas war: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઇઝરાયેલ આર્મીની વિનંતી પર ગૂગલે લાઇવ ટ્રાફિક ફીચર બંધ કરી દીધું છે, જેના કારણે લોકોને ગૂગલ નેવિગેશન એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલે ઇઝરાયેલમાં લાઇવ ટ્રાફિક કંડીશન ફીચર બંધ કરી દીધું છે. આ કરવાનું મુખ્ય કારણ છે કે, ઈઝરાયેલની સેનાની હિલચાલ અને કામગીરીને ગૂગલ નેવિગેશન એપ જેમ કે ગૂગલ મેપ્સ દ્વારા ટ્રેક કરી શકે છે.

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા ચાલુ

ઈઝરાયેલના સૈનિકોનું કહેવું છે કે, ઈઝરાયેલની સેનાની હિલચાલ અને કામગીરીને ગૂગલ નેવિગેશન એપ જેમ કે ગૂગલ મેપ્સ દ્વારા ટ્રેક કરી શકાય છે. યુદ્ધવિરામની માંગ વચ્ચે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા ચાલુ છે. ઇઝરાયલી દળોએ મંગળવારે દક્ષિણ ગાઝામાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 28 પેલેસ્ટાઈનના મોત થયા હતા. આ સાથે, ઉત્તરી ગાઝામાં છેલ્લી કાર્યરત હોસ્પિટલોમાંથી એક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, હમાસની બાજુમાં યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય વેપારને વધુ અસર થવાની શક્યતા છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટે વાતચીત

ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે મંગળવારે કહ્યું કે જો હમાસ દ્વારા બંધકોને પરત લાવવા માટે યુદ્ધવિરામની જરૂર હોય તો અમે તે કરવા તૈયાર છીએ. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટે વાતચીત ચાલી રહી છે. સીઆઈએ ચીફ સોમવારે ઈઝરાયેલ અને કતારી અધિકારીઓ સાથે વાતચીત માટે યુરોપ પહોંચ્યા હતા. નવી યુદ્ધવિરામ અને ગાઝામાં બંધકોની મુક્તિ અંગેની સમજૂતીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કારણ કે યુએસ સંરક્ષણ સચિવ લોઇડે હમાસ સામેની મોટી લડાઇ કામગીરી ઘટાડવા ઇઝરાયેલના લશ્કરી નેતાઓ સાથે વાતચીત કરી હતી.

ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીએ યુદ્ધવિરામ માટે દબાણ વધાર્યું

ઇઝરાયેલના કેટલાક સાથી ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીએ પણ યુદ્ધવિરામ માટે દબાણ વધાર્યું છે. જ્યારે અમેરિકા નાગરિકોના મોત પર સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે અને ઇઝરાયેલને યોગ્ય પગલાં લેવાનું કહી રહ્યું છે.

ગુજરાતના ખેડૂતો કમર કસી લે..! આગામી સપ્તાહમાં ડુંગળીના ભાવ ઘટવાની શક્યતા, સ્થાનિક બજારમાં પણ થશે અસર

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવા પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું દુર્ભાગ્યપૂર્ણ છે આ કૃત્ય

સમજી લેજો ખતરાની ઘંટડી વાગી ગઈ! કેરળમાં 24 કલાકમાં અધધ કોરોનાના 292 દર્દીઓ, 3ના મોત, દેશ ફરીથી ફફડી ઉઠ્યો!!

તે જ સમયે, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ કહી રહ્યા છે કે જ્યાં સુધી હમાસ બાકીના 129 બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી સંઘર્ષ અટકી શકશે નહીં.


Share this Article