Nigeria Boko Haram Attacked : ઉત્તર-પૂર્વ નાઇજીરીયામાં, બોકો હરામ ઉગ્રવાદી જૂથે બે અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા 37 ગ્રામવાસીઓને મારી નાખ્યા છે. ઇસ્લામિક ઉગ્રવાદી બળવાખોરોએ સોમવાર અને મંગળવારે બે રાજ્યના ગીદામ જિલ્લામાં ગ્રામજનોને નિશાન બનાવ્યા હતા.તેઓએ પહેલા 17 લોકોને ગોળી મારીને મારી નાખ્યા, જ્યારે 20 અન્ય લોકોને મારવા માટે લેન્ડમાઈનનો ઉપયોગ કર્યો.આશ્ચર્યની વાત એ છે કે માર્યા ગયેલા 20 લોકો અગાઉ માર્યા ગયેલા 17 લોકોના અંતિમ સંસ્કારમાં ગયા હતા.
યોબે રાજ્યના ગીદામ જિલ્લાના લોકો છેલ્લા 14 વર્ષથી ઈસ્લામિક ઉગ્રવાદી બળવાખોરોના હુમલાનો ભોગ બની રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ બોકો હરામે 2009માં પૂર્વોત્તર નાઈજીરિયામાં આ વિસ્તારમાં ઈસ્લામિક કાયદા અથવા શરિયાનું કટ્ટરપંથી અર્થઘટન સ્થાપિત કરવાના પ્રયાસમાં બળવો શરૂ કર્યો હતો.
દફનાવવા ગયેલા લોકોને મારી નાખ્યા
નાઇજિરિયાનો પ્રથમ હુમલો સોમવારે મોડી રાત્રે દૂરના ગુરોકૈયા ગામમાં થયો હતો, જ્યારે કેટલાક ગ્રામજનોને ગોળી વાગી હતી, જેમાંથી 17 લોકો માર્યા ગયા હતા. ગુરોકૈયા ગામના રહેવાસી શૈબુ બાબાગનાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 20 ગામના લોકો જ્યારે 17 લોકોને દફનાવવા માટે કબ્રસ્તાન જઈ રહ્યા હતા ત્યારે મંગળવારે રસ્તામાં લેન્ડમાઇનની ટક્કર વાગતા તેમનું મોત થયું હતું.
અન્ય એક રહેવાસી ઇદ્રિસ ગિદામે જણાવ્યું હતું કે મૃત્યુઆંક 40થી વધુ છે. ઇદ્રિસ ગિદામે જણાવ્યું હતું કે બોકો હરામ દ્વારા તાજેતરના સમયમાં કરવામાં આવેલા આ સૌથી ભયાનક હુમલાઓમાંનો એક છે. તેમના પ્રિયજનોને ગુમાવ્યા પછી તરત જ દફન જૂથ પર હુમલો કરવો તે ખૂબ જ ભયાનક છે.
ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ બોકો હરામ ઘાતક છે.
નાઇજીરિયામાં ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ બોકો હરામ ખૂબ જ ઘાતકી રીતે લોકોની હત્યા કરે છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 14 વર્ષમાં યોબેના પડોશી રાજ્ય બોર્નોમાં ઉગ્રવાદી હિંસાને કારણે ઓછામાં ઓછા 35,000 લોકો માર્યા ગયા છે, અને 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. આ જૂથના સ્થાપક મૌલવી મોહમ્મદ યુસુફના જણાવ્યા અનુસાર મુસ્લિમોને મત આપવાની અને બિનસાંપ્રદાયિક બનવાની સખત મનાઈ છે.
રૂકો, જરા સબર કરો… દિવાળી પર ડુંગળીના ભાવ ભૂક્કા કાઢશે, તમારા બજેટની પથારી ફેરવશે એવું લાગે છે!
દેશનો સૌથી સસ્તો ગેસ સિલિન્ડર અહીં મળી રહ્યો છે, લોકોની પડાપડી થઈ, કિંમત માત્ર 474 રૂપિયા
આ જૂથ સમગ્ર વિશ્વમાં શરિયા કાયદાને લાગુ કરવાની વાત કરે છે. આ લોકો ઘણીવાર બાળકોને માનવ બોમ્બ બનાવીને હુમલા કરે છે. આ લોકો ગામના લોકોની હત્યા કરી રહ્યા છે અને ખંડણી માટે મુસાફરોનું અપહરણ કરી રહ્યા છે, જેને રોકવામાં નાઇજિરિયન સરકારને સફળતા મળી નથી. આ વર્ષે મે મહિનામાં દેશના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ સત્તા સંભાળી હતી. જો કે, તેઓ આવી ઘટનાઓને રોકવામાં પણ નિષ્ફળ રહ્યા છે.