રજવાડી ઠાઠ સાથે પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન જયપુરમાં કરશે રોડ શો, જાણો સમગ્ર સ્વાગત કાર્યક્રમ

Desk Editor
By Desk Editor
Share this Article

World News: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 25 જાન્યુઆરીએ રાજસ્થાનના જયપુર આવશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જયપુરના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ મેક્રોન જયપુરના પરકોટા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શો પણ કરશે. આ રોડ શો 1.75 કિલોમીટરનો રહેશે. જંતર-મંતરથી સાંજે 6 વાગ્યે રોડ શો શરૂ થશે.

આ બાદ બંને રાજ્યના વડાઓ સાંજે 6.15 કલાકે ત્રિપોલિયા બજાર થઈને હવા મહેલ પહોંચશે. અહીં તેઓ થોડીવાર રોકાઈને ચા પીશે અને પછી શોપિંગ કરશે. ત્યાર બાદ આ રોડ શો બડી ચૌપર જોહરી બજાર થઈને સાંગાનેરી ગેટ પહોંચશે. રોડ શો અહીં સાંજે 6.25 કલાકે સમાપ્ત થશે. રોડ શો દરમિયાન દરેક પોઈન્ટ પર રોડની બંને બાજુ ભાજપના કાર્યકરો હશે. તેઓ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કરશે.

આ રોડ શો દ્વારા બંને દેશોના વડા વિશ્વને હેરિટેજ સંરક્ષણનો સંદેશ આપશે. જયપુરનો કિલ્લો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન બપોરે 2.30 કલાકે વિશેષ વિમાન દ્વારા જયપુર એરપોર્ટ પહોંચશે. આ પછી, તેઓ જયપુર એરપોર્ટથી બપોરે 2:45 વાગ્યે રવાના થશે અને 3:15 વાગ્યે આમેર ફોર્ટ પહોંચશે. તેઓ આમેર કિલ્લામાં લગભગ 2 કલાક રોકાશે. અહીં તેમનું સ્વાગત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ પછી તેઓ સાંજે 5:15 વાગ્યે આમેર કિલ્લાથી રવાના થશે અને જંતર-મંતર પહોંચશે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4.35 કલાકે જયપુર એરપોર્ટ પહોંચશે. તેઓ ખાસ વિમાન દ્વારા અહીં આવશે. એરપોર્ટથી નીકળ્યા બાદ તેઓ સાંજે 5 વાગ્યે સિટી પેલેસ પહોંચશે. આ પછી તેઓ સિટી પેલેસથી સાંજે 5:20 વાગ્યે જંતર-મંતર પહોંચશે. રાષ્ટ્રપતિ મેક્રોન સાંજે 5:30 વાગ્યે જંતર-મંતર પહોંચશે. તેઓ અહીં પીએમ મોદીને મળશે. લગભગ અડધો કલાક રાહ જોયા બાદ પીએમ મોદી તેમને જંતર-મંતર બતાવશે.

100 કરોડનો ‘ખજાનો’, 40 લાખ રોકડા, કિલોમાં સોનું… નોટો ગણીને થાકી ગયા અધિકારીઓ, જાણો કોણ છે આ કાળા નાણાનો ‘કુબેર’?

Breaking News: કલેક્ટરને જ આવ્યો હાર્ટ એટેક, જામનગરના કલેક્ટર બીજલ શાહને મોડી રાત્રે આવ્યો હાર્ટ એટેક

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા બંધ, તંત્રની ઘોર બેદરકારી આવી સામે, એક વર્ષથી લાયસન્સ વિના જ ચાલતું હતું બોટીંગ

આ પછી સાંજે 6 વાગ્યાથી રોડ શો શરૂ થશે. તેની શરૂઆત જંતર-મંતરથી થશે. બંને રાષ્ટ્રાધ્યક્ષ હવા મહેલથી સાંજે 6:35 કલાકે રવાના થશે અને 6:45 કલાકે હોટલ રામબાગ પેલેસ પહોંચશે. આલ્બર્ટ હોલની સામે હવા મહેલથી નીકળીને બંને હોટલ રામબાગ પેલેસ જશે. બંને અહીં ડિનર કરશે. બંને રામબાગ પેલેસથી લગભગ 8:25 વાગ્યે નીકળશે અને 8:50 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચશે.


Share this Article