આ બે દેશ વચ્ચે થઈ અનોખી ડીલ, 1 લાખ વાંદરા એક્સપોર્ટ થશે, જાણો આટલા વાંદરાની એકસાથે શું જરૂર પડી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા હવે જીવિત રહેવા માટે એક લાખ વાંદરાઓની નિકાસ કરશે. એક રિપોર્ટ અનુસાર, શ્રીલંકા પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ચીનને એક લાખ વાંદરાઓ વેચવા જઈ રહ્યું છે. આ માહિતી શ્રીલંકાના કૃષિ મંત્રી મહિન્દ્રા અમરવીરાએ આપી હતી.

વાંદરાઓના વેચાણના નિર્ણય અંગે સ્પષ્ટતા આપતા મંત્રીએ જણાવ્યું હતું કે તુક મકાકા પ્રજાતિના વાંદરાઓ જે ચીનને વેચવામાં આવી રહ્યા છે તે સામાન્ય વાંદરાઓ છે અને જે રીતે તેમની સંખ્યા વધી રહી છે તેનાથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. વાંદરાઓ વેચવાથી શ્રીલંકાની સરકારને આપણને જોઈતી મોટી રકમ મળશે. વેચાયેલા તમામ વાંદરાઓને ચીનના 1000 થી વધુ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવશે.

Appleના CEO ટિમ કૂક આપણે દેશ પધાર્યા, નેટવર્થ એટલી કે 14 હજાર લોકો કરોડપતિ બની જશે, તોય 7 અબજ તો વધશે

60,000 રૂપિયામાં સોદો થયો, રૂમ બૂક કર્યો, કોન્ડોમ પણ આપ્યા, પછી…. વેશ્યાવૃત્તિમાં રંગે હાથ ઝડપાઈ બોલિવૂડ ડાયરેક્ટર

સંજય દત્તને સલમાન ખાન પર આવ્યો જોરદાર ગુસ્સો, મારવા માટે સીધો ઘરે પહોંચી ગયો, ખાનના હાથ-પગ ધ્રુજવા લાગ્યા

જણાવી દઈએ કે કાર્યક્રમના પ્રથમ તબક્કા હેઠળ ચીનમાં વાંદરાઓ મોકલવા પર મંગળવારે ખાસ ચર્ચા થઈ હતી. મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રીલંકામાં હાલની વાંદરાઓની વસ્તી 30 લાખની આસપાસ પહોંચી ગઈ છે અને પ્રાણીઓ સ્થાનિક પાક માટે ખતરો છે. કાર્યક્રમ માટેની કાયદાકીય પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે એક સમિતિની નિમણૂક અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


Share this Article