યુક્રેને રશિયાના કબજા હેઠળના શહેર લિસિચાંસ્કમાં એક બેકરી અને રેસ્ટોરન્ટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 28 લોકોના મોત થયા હતા. મૃતકોમાં નવ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. અન્ય 4 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
હુમલા સમયે બેકરીમાં મોટી સંખ્યામાં લોકો હાજર
સ્થાનિક નેતા લિયોનીદ પેસેક્નિકે જણાવ્યું કે હુમલા સમયે બેકરીમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમણે કહ્યું કે ઇમરજન્સી સેવાઓ દ્વારા 10 અન્ય લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને અન્યની શોધ કરવામાં આવી રહી છે. જો કે, આ ઘટના અંગે યુક્રેનિયન સત્તાવાળાઓ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
રશિયાના વિદેશ મંત્રાલયે હુમલાની નિંદા કરી
રશિયાના વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા કરી છે. એમ પણ કહ્યું કે પશ્ચિમે વિચારવું જોઈએ કે તે નાગરિકોની હત્યામાં યુક્રેનને શા માટે મદદ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલામાં વિદેશી હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રશિયન સેનાએ આ વિસ્તારમાં ગોળીબાર કર્યો
જ્ઞાનવાપી કેસમાં આજે સુનાવણી, ભોંયરામાં પૂજા રોકવાની અરજી સહિત બે કેસની સુનાવણી કરશે કોર્ટ, જાણો શું છે સમગ્ર મામલો?
તે જ સમયે, યુક્રેનના સુમી ક્ષેત્રના સૈન્ય પ્રશાસને રવિવારે જણાવ્યું હતું કે રશિયન સેનાએ એક દિવસ પહેલા 16 અલગ-અલગ હુમલાઓમાં આ પ્રદેશ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં યુનાકીવકા, બિલોપિલિયા, ક્રાસ્નોપિલિયા, વેલીકા પાયસારિવકા અને એસ્માનના સરહદી વિસ્તારોનો સમાવેશ થાય છે.