Astrology News: હિંદુ ધર્મમાં કેળાના વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે. લોકો કેળાના ઝાડની પૂજા પણ કરે છે. એવું કહેવાય છે કે, આ વૃક્ષમાં ભગવાન નારાયણનો વાસ છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, ઘરમાં કેળાનું વૃક્ષ લગાવવું જોઇએ કે નહીં?
સાચી દિશા પસંદ કરજો
તો તમે પણ ઘરમાં કેળાનું વૃક્ષ લગાવી શકો છો પરંતુ સાચી દિશામાં લગાવવું જોઇએ. જો ખોટી દિશામાં લગાવશો તો અશુભ પરિણામો મળી શકે છે. કેળાના ઝાડ માટે સૌથી ઉત્તમ દિશા પૂર્વ અને ઉત્તર છે. દક્ષિણ પશ્ચિમમાં ક્યારેય કેળાનું ઝાડ રાખવું ન જોઇએ…
કેળમાં ભગવાન વિષ્ણુનો વાસ
કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું કહેવાય છે. એટલે હંમેશા કેળાની બાજુમાં તુલસીનો છોડ રાખવો જોઇએ. જેથી નારાયણ અને લક્ષ્મી બન્નેની કૃપા વરસતી રહે.
જ્યોતિષશાસ્ત્રોના નિયમોનુસાર જો કેળાનું ઝાડ લગાવવામાં આવે તો પરિવારમાં સુખ, સમૃદ્ધિ આવશે અને વિવાહિત જીવન સુખમય રહે છે. આ સાથે જ ઘરમાં નાણાની કટોકટી પણ સમાપ્ત થઇ જશે. જો તમે પણ ઘરમાં કેળાનું ઝાડ વાવવાનું વિચારતા હોય તો એકવાર જ્યોતિષની સલાહ પણ લઇ શકો છો.