મૌલિક દોશી (અમરેલી )
અમરેલી જિલ્લામાં ઘણા બધા ખેડૂતો અમૃત ખેતી તરફ વળી રહ્યા છે. જમીન ફળદ્રુપતા પણ વધી રહી છે અને કોઈ પણ પાકનો ઉતારો પુષ્કળ પ્રમાણમાં આવે છે. નાના આંકડીયા ગામના અશ્વિનભાઈ વાઘેલા નામના ખેડૂતે પણ જીવામૃત દ્વારા ખેતી કરી છે એનાથી તેમને પોતાના પાકમાં ખૂબ ફાયદો થયો છે. અશ્વિનભાઈ એ તો ચણાનું વાવેતર કર્યું છે પરંતુ તેમને પણ પુષ્કળ પ્રમાણમાં પાક આવી રહ્યો છે. જ્યારે આ નાના આંકડીયા ગામના ખેડૂતો ધીમે ધીમે ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે.
અમરેલી જિલ્લાના નાના આકડીયા ગામના એક ઓર્ગેનિક ખેતી પ્રેમી ખેડૂતે ઓર્ગેનિક ખેતી ની મદદથી પોતાના ખેતરમાં મરચાનું મબલખ ઉત્પાદન મેળવ્યું ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીની મદદથી વિધે દોઢ લાખ રૂપિયાની આવક મેળવી નાનાઆકડીયા ગામના ખેડૂત કેતનભાઇ છેલ્લા સાત વર્ષથી ખેતી કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતીની મદદથી મરચાનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે.
ગુજરાતના રાજ્યપાલ એમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાય આધારિત ખેતી પર ભાર આપી રહ્યા છે. ત્યારે ખેડૂતો હવે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યો છે કેતનભાઇ ખેડૂત દ્વારા ગાયનું છાણ, ગૌમુત્ર, છાસ, તથા દેશી ગોળ તથા કોઈ પણ એક દાળનો લોટ આ બધાનું મિશ્રણ કરીને જીવામૃત બનાવવામાં આવે છે. જ્યારે અહીં પાક પુષ્કળ પ્રમાણમાં ઉતારો આપે છે ખેડૂત દ્વારા પાકૃતિક ખેતીની પદ્ધતિથી બે વીઘામાં મરચાનું વાવેતર કરાયું છે. અન્ય બીજા ખેડૂતો કરતા મરચાનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ સારો થયો છે ગુજરાતના રાજ્યપાલ દ્વારા નાનાઆકડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત કેતનભાઇ ખોયાણીને એવોર્ડ આપીને સન્માનિત કરેલ છે.