Best Astro Tips : હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય શુભ કે અશુભ સમય જોઈને જ કરવામાં આવે છે. દરેક કામ કરવા માટે સૌથી પહેલા પંચાંગ જોવા મળે છે. હિન્દુ પંચાંગમાં (hindu panchak ) પંચકને કોઈપણ કાર્ય કરવા માટે અત્યંત અશુભ માનવામાં આવે છે. આજે એટલે કે 2જી ઓગસ્ટથી પંચક મનાવવામાં આવી રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજથી આગામી પાંચ દિવસ અશુભ રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય જેમ કે મિલકતની ખરીદી-વેચાણ અથવા કોઈ શુભ વસ્તુ ખરીદવી એ અશુભ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તેને પંચક ( panchak) કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પંચકને લઈને ખૂબ જ કડક નિયમો છે. માન્યતા અનુસાર જો પંચક દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે તો તેનું પાંચ ગણું વધુ અશુભ ફળ મળે છે. એટલા માટે ખાસ કરીને પંચકની ઘટના પર શાંતિ કરવી જોઈએ.જોકે બુધવાર અને ગુરુવારથી શરૂ થતો પંચક બહુ અશુભ માનવામાં આવતો નથી, પરંતુ તેમ છતાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ દરમિયાન કઈ 5 વસ્તુઓ ન કરવી જોઈએ તે અહીં વાંચો.
પંચક ક્યારે શરૂ થશે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અશુભ મનાતા પંચક દર મહિને થાય છે. પંચક ૨ ઓગસ્ટે રાત્રે ૧૧.૨૬ વાગ્યે શરૂ થશે અને ૭ ઓગસ્ટે બપોરે ૧.૪૩ વાગ્યે સમાપ્ત થશે.
પંચકમાં કયા 5 કામ બિલકુલ ન કરવા જોઈએ
પંચક દરમિયાન પાંચ કામ કરવાની સખત મનાઈ છે, જે ભૂલથી પણ ન કરવા જોઈએ. તેની અવગણના કરવાથી અશુભ પરિણામ મળે છે. પંચક દરમિયાન લાકડાની કોઈપણ વસ્તુ ન ખરીદવી જોઈએ. પંચકના સમયે ઘરની છત ન બનાવવી જોઈએ, ન તો ખાટલો વણવો જોઈએ. આ દરમિયાન દક્ષિણ દિશામાં જવાનું ટાળો. આ દરમિયાન ઘરમાં કલર કરાવવાની પણ મનાઈ છે.
પંચક દોષથી કેવી રીતે મળશે છૂટકારો
જો ઘરની છત પંચકમાં બનાવવાની ફરજ પડતી હોય તો તેના અશુભ પ્રભાવને દૂર કરવા માટે છત બનાવતા પહેલા મજૂરોને મીઠુ ખવડાવવું જોઈએ. આ ઉપાય કરવાથી પંચકની અસર ખતમ થઈ જાય છે.
પંચકના સમયે દક્ષિણ દિશાની યાત્રા સંપૂર્ણપણે ટાળવી જોઈએ. જો આ દિશામાં જવું ખૂબ જરૂરી હોય તો ઘર છોડતા પહેલા સંકટમોચન હનુમાનજીએ ગોળ અને ચણાનું સેવન કરવું જોઈએ.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
જો પંચકના સમયે કોઈનું મૃત્યુ થઈ જાય તો તેના અશુભ પ્રભાવથી બચવા માટે કુશના 5 પુતળા બનાવીને મૃત શરીરની પાસે રાખવા જોઈએ અને તેના પણ યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવા જોઈએ, આ ઉપાયથી તેની અશુભ અસર દૂર થાય છે.