કંઈ કેટલા વર્ષો પછી બન્યો છે આવો દુર્લભ સંયોગ, 13 મહિનાનું વર્ષ અને શ્રાવણ મહિનામાં આવશે 4 નહીં 8 સોમવાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે વિક્રમ સાવંત વર્ષ 2080માં હશે. હિન્દુ પંચાંગ અથવા કેલેન્ડર અનુસાર આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે  કારણ કે આ વર્ષે કુલ 13 મહિના હશે. આ સ્થિતિને અધિક માસ, માલ માસ અથવા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ કારણે ચાતુર્માસ પણ 5 મહિનાનો રહેશે. આ વખતે વર્ષમાં 4 નહીં પરંતુ 8 સોમવાર હશે. અગાઉ આ સ્થિતિ વર્ષ 2004માં સર્જાઈ હતી. હવે 19 વર્ષ પછી આ દુર્લભ સ્થિતિ ફરી બની રહી છે.

*વ્રત-તહેવાર:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે અધિક માસથી વ્રત અને તહેવારોની તારીખમાં ફેરફાર થશે. હિન્દુ કેલેન્ડરની વાત કરીએ તો દર ત્રીજા વર્ષમાં એક વધારાનો મહિનો આવે છે જેને અધિક માસ કહેવામાં આવે છે. સૌર વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે અને ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે.

પ્રેમિકાનું ભૂત મને ખુબ જ ત્રાસ આપે છે, મને ડર લાગે છે સાહેબ….’ પ્રેમીની વાત સાંભળીને પોલીસ પણ થરથર ધ્રુજી ઉઠી

‘મંગળ’ રાશિમાં રાહુનું સંક્રમણ, આ રાશિના લોકોના જીવનમાં આવશે બેહિસાબ પૈસા, જાણો તમને શું અસર થશે

અ’વાદનો ઉદ્યોગપતિ ઉઘાડો પડ્યો! વીડિયો કોલ પર કપડાં ઉતરાવીને છોકરીએ લાખો નહીં આટલા કરોડ રૂપિયા ખંખેર્યા

*શ્રાવણ:

ઘણીવાર દર વર્ષે શ્રાવણ મહિનામાં 4 કે 5 સોમવાર આવે છે, પરંતુ આ વખતે શ્રાવણનાં સોમવારે 8 વ્રત રાખવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ કૃષ્ણ પક્ષ 4થી 17 જુલાઈ સુધી છે અને તે પછી 18 જુલાઈથી અમલમાં આવશે. 16 ઓગસ્ટના રોજ અધિક માસની અમાસ હશે. આ દિવસે અધિક માસ સમાપ્ત થશે. આ પછી શ્રાવણનો શુક્લ પક્ષ શરૂ થશે જે 30 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમાના દિવસ સુધી ચાલશે. આવી સ્થિતિમાં આ વખતે શ્રાવણ મહિનામાં 8 સોમવાર હશે.

*અધિક માસ:

હિંદુ કેલેન્ડરમાં સૌર વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના દિવસોના તફાવતને સમાન કરવા માટે દર ત્રીજા વર્ષે એક ચંદ્ર મહિનો ઉમેરવામાં આવે છે. આ અધિકમાસ તરીકે ઓળખાય છે. તમે જાણતા જ હશો કે સનાતન ધર્મમાં અધિકમાસમાં કોઈપણ પ્રકારના ધાર્મિક અને શુભ કાર્યો પર પ્રતિબંધ છે. આ વર્ષે અધિકમાસ 18 જુલાઈ 2023થી શરૂ થઈ રહ્યો છે.

*ચાતુર્માસ:

વધુ મહિનાઓને કારણે આ વખતે મકરસંક્રાંતિ પહેલા સાકત ચોથનું વ્રત આવી ગયું છે. જ્યારે આ વ્રત હંમેશા મકરસંક્રાંતિ પછી જ આવે છે. 4 મહિનાનો ચાતુર્માસ આ વર્ષે 5 મહિનાનો રહેશે. આ વખતે ભગવાન વિષ્ણુ 4ને બદલે 5 મહિના સુધી યોગ નિદ્રામાં રહેશે.


Share this Article
TAGGED: