આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

દેવગુરુ બૃહસ્પતિને સંપત્તિ, શિક્ષણ, સંતાન, જીવનસાથી અને ઉચ્ચ પદનો કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય છે તેમને જીવનમાં ઘણી બધી વસ્તુઓ મળે છે. માર્ચમાં દેવગુરુનો ઉદય થવાનો છે. તેમનો આ ઉદય કેટલાક માટે સારા સમાચાર લાવશે અને તેમના બંધ નસીબને ખોલશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે જેને ગુરુના ઉદયથી ઘણો ફાયદો થવાનો છે.

*આ ચાર રાશિઓનું ભાગ્ય બદલાશે:

મિથુન

ગુરુનો ઉદય મિથુન રાશિના લોકો માટે સારા સમાચાર લાવશે. કરિયરની દ્રષ્ટિએ આ સમય સારો સાબિત થશે. નોકરીની નવી તકો ઉપલબ્ધ થશે અને ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકશે. વ્યાપારીઓ માટે પણ આ સમય ઘણો સારો રહેવાનો છે.

કર્ક

ગુરુના ઉદયથી કર્ક રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. ભાગ્યનો સાથ મળવાથી દરેક કામ થવા લાગશે. વ્યાપાર સંબંધિત યાત્રા પર જવાથી શુભ ફળ મળશે.

કુંભ

ગુરુના ઉદયને કારણે કુંભ રાશિના લોકો ભાગ્યશાળી બનશે.અટવાયેલા પૈસા પાછા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ખાસ કરીને શિક્ષણ, મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે.

લક્ઝરી લાઈફ છોડી સુરતના નામી હીરા વેપારીની દીકરીએ લીધો આકરો નિર્ણય,માત્ર 9 વર્ષની ઉંમરે બની સાધ્વી  

ફેબ્રુઆરીમાં બુધાદિત્ય યોગના કારણે આ 4 રાશિના લોકો રાતોરાત બની જશે કરોડપતિ, આવો યોગ વર્ષો પછી રચાય છે!

આજના 1 લિટર પેટ્રોલના ભાવમાં તો પહેલા સોનું આવી જતુ હતુ, વિશ્વાસ ન આવે તો જુઓ આ 60 વર્ષ જૂનું બિલ

મીન

મીન રાશિના લોકોને ગુરુના ઉદયને કારણે અણધાર્યા લાભ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા મળી શકે છે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે જે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરશે. આ દરમિયાન તમે જે કામમાં હાથ લગાવો છો, તેમાં સફળતા હાથ લાગશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે.


Share this Article
TAGGED: ,