ભગવાન રામની મોટી બહેન કોણ હતી? રામાયણથી કેમ ગુમનામ રહ્યા, જાણો ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા

Lok Patrika Desk
By Lok Patrika Desk
ram
Share this Article

Ramayan Story:હિન્દુ ધર્મમાં વેદ, પુરાણ, ગ્રંથ અને અન્ય ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને ધરોહરનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વેદ-પુરાણોમાં જીવન જીવવા માટેની પદ્ધતિ સહિત ધર્મ-અધર્મને લઈ ઉપદેશ આપવામાં આવ્યા છે. ચારો વેદ સહિત રામાયણ, મહાભારત જેવા ધર્મ ગ્રંથોમાં ઘણી પૌરાણિક વાર્તાઓનો ઉલ્લેખ કરાયો છે. રામાયણમાં વર્ણન કરાયેલા શ્રીરામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજી સહિત ઘણા પાત્રોથી તો ઘણી સારી રીતે પરિચિત છો. પરંતું શુ તમે જાણો છો કે, ભગવાન શ્રીરામની એક બહેન પણ હતી. ઘણા ઓછા લોકોને આ અંગે જાણકારી હશે, તો ચાલો જાણીએ પંડિત ઇંદ્રમણિ ઘનસ્યાલથી કે ભગવાન શ્રીરામની બહેન કોણ હતી.

ram

રામની બહેનનું નામ શાંતા

રાજા દશરથ અને રાણી કૌશલ્યાની પ્રથમ સંતાન એક પુત્રી હતી. જેનું નામ શાંતા હતું. શાંતા ભગવાન શ્રીરામની મોટી બહેન હતી. પુરાણો મુજબ, શાંતા દરેક કામમાં કુશળ હતી અને બુદ્ધિશાળી હોવાની સાથે સાથે તે ઘણા કામોમાં પણ નિપુણ હતી.

પૌરાણિક કથાઓ મુજબ, એક વખત રાણી કૌશલ્યાની બહેન વર્ષિણી પોતાના પતિ રોમપદની સાથે અયોધ્યા આવી હતી. તે સમયે રાણી કૌશલ્યાની બહેનને સંતાન નહોતી. સંતાન સુખથી વંચિત હોવાને કારણે રાજા રોમપદ અને વર્ષિણી ઘણાં દુ:ખી હતાં. ત્યારે રાજા દશરથે તેમને દુ:ખી અને ઉદાસ જોઈને પોતાની પુત્રી શાંતાને તેઓએ ખોળે આપી દીધી. શાંતાને લઈને રાજા રોમપદ અને વર્ષિણી અંગદેશ પરત ફર્યા. તે પછી શાંતા અંગ દેશની રાજકુમારી બની ગઈ.

ram

 

શ્રૃંગી ઋષિની સાથે લગ્ન થયા

ભગવાન શ્રીરામની મોટી બહેન શાંતાનાં લગ્ન ઋષિ શ્રૃંગ સાથે થયા હતા. ઋષિ શ્રૃંગ અને શાંતાના લગ્નની ઘણી કથાઓ પ્રચલિત છે. શાંતાના પતિ ઋષિ શ્રૃંગએ જ રાજા દશરથના ત્યાં પુત્રેષ્ટિ યજ્ઞએવું માનવામાં આવે છે કે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ઋષિ શૃંગનું મંદિર છે, જ્યાં ઋષિ શૃંગ અને રામની બહેન શાંતાની પૂજા કરવામાં આવે છે.


Share this Article