અંબાજીમા મોહનથાળના પ્રસાદને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. પરંપરાગત મોહનથાળના પ્રસાદ બંધ કરવા મામલે આ આખો મુદ્દો ચર્ચામા આવ્યો છે. ગઈકાલે વિરોધ નોંધાવવા હિન્દુ પરિષદે યાત્રા સંઘો, સંતો, ભક્તોએ ધરણા કર્યા હતા અને સ્વૈચ્છિક બંધનુ રાખયુ હતુ. આ બાદ હવે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે યાત્રાધામ અંબાજી હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક છે. ઉપવાસના સમયમાં મોહનથાળ લઈ શકાતો નથી.
ઉપવાસના સમયમાં મોહનથાળ લઈ શકાતો નથી
તેમજ મોહનથાળ 10 દિવસ સુધી ચાલે છે. બીજી તરફ ચીક્કી 3 મહિના સુધી ચાલી શકે છે જેથી સ્પેશિયલ પ્રકારનો માવો અને સિંગદાણાની ચીકી બનેલી છે જેથી ઉપવાસ કરનારા ભક્તો પણ લઈ શકે. આ સાથે ઋષિકેશ પટેલે કહ્યુ કે પ્રસાદ આસ્થાનો વિષય છે મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની મીઠાઈ નથી. ઓનલાઈન દર્શન કરનારાને પણ ચિકી આપી શકાય. ઋષિકેશ પટેલે કોરાના કાળની વાત કરતા કહ્યુ કે કોરોના દરમિયાન ઓનલાઇન દર્શનની સુવિધા હતી જ્યારે 27 જેટલા દેશોના 1.21 કરોડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.
ઓનલાઈન દર્શન કરનારાને પણ ચિકી આપી શકાય
વિશ્વભરમાંથી આવતા લોકો ‘માં અંબા’નો પ્રસાદ પોતાના સાથે લઈ જવા ઈચ્છતા હોય છે. આ માટે સુકો પ્રસાદ હોય તેવી લાગણી શ્રઘ્ધાળુઓએ વ્યકત કરી હતી. તા. ૧ થી ૧૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧,૨૬,૮૬૫ ચિક્કીના પ્રસાદનું વિતરણ કરાયું છે.
42 દિવસ પછી 3 રાશિઓના જીવનમાં આવશે મોટું તોફાન, 6 મહિના સુધી રાહુ-ગુરુની યુતિ ખલબલી મચાવી દેશે
VIDEO: વંદે ભારત એક્સપ્રેસ પર ફરીવાર ઈંટ અને પથ્થરમારો, બારીના કાચના ભૂક્કા બોલાવી નાખ્યા
આ સિવાય મંત્રીએ જણાવ્યુ કે વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો દર્શનાર્થીઓ તરફથી મળતી રહી છે. આ બાદ પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી પણ આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનેલ છે જે ૩ મહિના સુધી ખાઈ શકાય છે.