દુઃખદ.. પત્રકાર જગતમાં મોટી ખોટ, ગુજરાતના વરિષ્ઠ પત્રકારે આપણી વચ્ચેથી લીધી વિદાય, દિલીપભાઇ ગોહિલનું થયું નિધન

Desk Editor
By Desk Editor
Share this Article

Bhavnagar News: ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે. આજે વહેલી સવારે તેમણે ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. દિલીપ ગોહિલ છેલ્લાં એક અઠવાડિયાથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. લાંબી માંદગી બાદ તેમના આકસ્મિક મોતના સમાચાર આવતા પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

સાથી પત્રકારો પાસેથી મળતી માહિતી મુજબ, દિલીપ ગોહિલને થોડા દિવસો અગાઉ શરદી ઉધરસની સમસ્યા હતી, તેના બાદ તેમને નિમોનિયા થયો હતો. ચાર દિવસથી વેન્ટીલેટર પર હતા. શુક્રવારે મોડી રાતે તેઓએ ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસોમાં માવઠું પડવાની શક્યતા, ભારે હિમ વર્ષા માટે પણ થઈ જાવ તૈયાર

અધધ.. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘુ, આ શહેરોમાં ભાવ ઘટ્યા, ગુજરાતમાં જ વધારો કેમ? જાણો કારણ

Big News: ગુજરાતમાં 10 હજાર કાયમી શિક્ષકોની થશે ભરતી, આગામી ભરતી પ્રક્રિયામાં કરાયાં મોટા ફેરફારો, માત્ર ટેટ-ટાટને પ્રાધાન્ય?

ગુજરાતના એકમાત્ર એવા પત્રકાર હતા, જેઓએ અખબાર, મેગેઝીન, ચેનલ, ડિજીટલ, રેડિયો જેવા મીડિયાના તમામ માધ્યમોમાં નોંધપાત્ર કામ કર્યુ હતું. નવોદિત પત્રકારોના ઘડતરમાં તેઓએ ઊંડો રસ દાખવ્યો હતો. અને પત્રકારોની બે-બે પેઢીને તેમણે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. તેઓ મૂળ રાજુલાના વતની હતા અને પત્રકારતત્વની શરૂઆત મુંબઈમાં સમકાલીનથી કરી હતી. જેના બાદ તેઓએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી.


Share this Article