business news: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો મેલ મળ્યો છે. આ વખતે બે ધમકીભર્યા મેલ આવ્યા અને ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ શાદાબ ખાન તરીકે આપી છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલની સંખ્યા વધી રહી છે. છેલ્લા 7 દિવસમાં મુકેશ અંબાણીને 4 વખત ધમકી મળી છે. આ નવા મેલમાં અંબાણીને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલ અને પૈસાની માંગને અવગણશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે ધમકીભર્યો મેલ આવ્યો હતો તે બેલ્જિયમ સ્થિત સર્વર પરથી એક જ ઈમેલ આઈડી પરથી બે ઈમેલ મળ્યા હતા.આ પહેલા પણ મુકેશ અંબાણીને એક જ ઈમેલ આઈડીથી અને એક જ શાદાબ ખાન તરફથી ત્રણ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા.
20 થી 400 કરોડની ખંડણીની રકમ માંગી
સૌથી પહેલા 27 ઓક્ટોબર શનિવારના રોજ ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માંગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ રૂપિયા કરી દીધા હતા. આ પછી ત્રીજા મેલમાં હુમલાખોરે ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી. એવું પણ લખવામાં આવ્યું છે કે પોલીસ મને શોધી શકતી નથી તો તેઓ મારી ધરપકડ નહીં કરી શકે. આ ઈમેલ પણ એ જ સરનામેથી આવ્યો છે જેમાંથી અગાઉના ઈમેલ આવ્યા હતા.
IP સરનામું બેલ્જિયમનું છે
મુંબઈ પોલીસ હજુ પણ ઈન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે જૂના ઈમેલનું આઈપી એડ્રેસ શોધવામાં વ્યસ્ત છે. પોલીસે ઈન્ટરપોલ દ્વારા આ ઈમેલની વિગતોની ચકાસણી કરવા માટે બેલ્જિયમની વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપની (VPN) પાસેથી મદદ માંગી છે. આ મેઇલ [email protected] પરથી મોકલવામાં આવ્યા છે. ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ IP એડ્રેસ બેલ્જિયમનું છે. પરંતુ પોલીસને શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ અન્ય કોઈ દેશમાં રહે છે અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બેલ્જિયમના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરી રહી છે.
લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે, કુંવારાઓ અને પરણેલાઓ ખાસ જાણી લો 7 વચનનો ઉંડાણપૂર્વક અર્થ
અડધી રાત્રે ભૂકંપનો ભયંકર આંચકો, 129 લોકોના મોત… આખું ભારત થરથર ધ્રુજી ઉઠ્યું, અધિકારીઓની રજા રદ્દ
“શું તમે જાણો છો ? સ્વયં ગાય જ એક માત્ર સ્વર્ગમાં જવાની સીડી છે.” વાંચો કૃષ્ણપ્રિયાનો લેખ
પહેલા બોમ્બની ધમકી મળી
આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણી અથવા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. ગયા વર્ષે 5 ઓક્ટોબરે એક વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની પણ ચર્ચા હતી. જો કે, બીજા જ દિવસે તે વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની ઓળખ રાકેશ કુમાર શર્મા તરીકે થઈ હતી. આટલું જ નહીં થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલું વાહન મળવાના સમાચારે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.