Cricket News: પૂર્વ ભારતીય કેપ્ટન અને દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે મંગળવારે તેમનું અવસાન થયું હતું. દત્તાજીરાવ ગાયકવાડે લીડ્ઝ ખાતે 1952માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ચેન્નાઈમાં 1961માં પાકિસ્તાન સામે હતી. ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું આજે વય સંબંધિત બિમારીઓને કારણે નિધન થયું છે. તેઓ ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. દત્તાજીરાવ ગાયકવાડે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
The BCCI expresses its profound grief at the passing away of Dattajirao Gaekwad, former India captain and India’s oldest Test cricketer. He played in 11 Tests and led the team during India’s Tour of England in 1959. Under his captaincy, Baroda also won the Ranji Trophy in the… pic.twitter.com/HSUArGrjDF
— BCCI (@BCCI) February 13, 2024
દત્તાજીરાવ ગાયકવાડના પરિવારના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુ (ઈન્ટેન્સિવ કેર યુનિટ)માં જીવન માટે સંઘર્ષ કર્યા બાદ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેણે 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેણે 1959માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.
જમણા હાથના બેટ્સમેન દત્તાજીરાવ ગાયકવાડે 1952માં લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું અને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ચેન્નાઈમાં 1961માં પાકિસ્તાન સામે હતી. ગાયકવાડે 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 47.56ની એવરેજથી 3139 રન બનાવ્યા જેમાં 14 સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 1959-60 સીઝનમાં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રન હતો. તે 2016માં ભારતનો સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યો હતો. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. ભૂતપૂર્વ બેટ્સમેન શોધનનું અમદાવાદમાં 87 વર્ષની વયે અવસાન થયું.