IPL 2023 Jonny Bairstow Ruled out: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2023)ની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવાની છે. સિઝનની શરૂઆત પહેલા જ એક ટીમને જોરદાર આંચકો લાગ્યો છે. જે ખેલાડીને કરોડો રૂપિયા ખર્ચીને ખરીદવામાં આવ્યો હતો, તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેનું કારણ એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) છે, જે તેના દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું નથી.
આ ખેલાડીને એનઓસી મળી નથી
પગની ઈજામાંથી સાજો થઈ રહેલો ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન જોની બેરસ્ટો (Jonny Bairstow) આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આખી સીઝનમાં રમી શકશે નહીં કારણ કે તેના દેશ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મંજૂર ન થયું. IPL 31 માર્ચથી શરૂ થવાની છે, પરંતુ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જોકે, ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને આ T20 ટૂર્નામેન્ટમાં રમવાની પરવાનગી મળી ગઈ છે. લિવિંગસ્ટોન ઘૂંટણ અને પગની ઇજામાંથી સાજા થયા બાદ મેદાનમાં પરત ફર્યો છે.
6.75 કરોડમાં ખરીદ્યો હતો
IPLની હરાજી દરમિયાન પંજાબ કિંગ્સે જોની બેયરસ્ટોને 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, ‘પંજાબ કિંગ્સ માટે કેટલાક સારા અને કેટલાક ખરાબ સમાચાર છે કારણ કે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ લિયામ લિવિંગસ્ટોનને આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જોની બેયરસ્ટોને આ સ્પર્ધામાં ભાગ લેવા પર રોક લગાવવામાં આવી છે.
સતત બીજા દિવસે પણ સોનાનો ભાવ ગગડ્યો, જોરદાર ઘટાડા સાથે હવે ખાલી આટલા હજારમાં જ એક તોલુ મળશે
ફ્રેક્ચરને કારણે T20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો
બેયરસ્ટોને ECB તરફથી NOC આપવામાં આવ્યું નથી. તે સ્પષ્ટ છે કે બેયરસ્ટો આખી સિઝનમાં રમી શકશે નહીં. ગોલ્ફ કોર્સ પર લપસી જવાને કારણે બહુવિધ ફ્રેક્ચર થવાને કારણે બેયરસ્ટો સપ્ટેમ્બરમાં T20 વર્લ્ડ કપનો ભાગ બની શક્યો ન હતો. આ સિવાય તે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના ટેસ્ટ પ્રવાસ પર પણ જઈ શક્યો ન હતો.