Cricket News: રવિવારે IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ હતી, જેમાં KKR એ 1 રનથી ખૂબ જ રોમાંચક વિજય નોંધાવ્યો હતો. કાંટાની ટક્કર સિવાય આ મેચ વિરાટ કોહલીના નો-બોલના વિવાદને કારણે પણ ચર્ચામાં છે. બીસીસીઆઈએ તેને મેચ દરમિયાન ગુસ્સો ગુમાવવાને કારણે આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવ્યો છે. આ કારણે વિરાટ કોહલીને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
original ye hai pic.twitter.com/hWw8uenqBs
— 𝕏 dipressed ICT FAN.𝕏 (@ex_gamer_45) April 21, 2024
આરસીબીની ઇનિંગ્સની ત્રીજી ઓવરનો આ મામલો છે. તમને જણાવી દઈએ કે પહેલા રમતા રમતા KKRને 222 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં વિરાટ કોહલીએ ઓપનિંગ કરતી વખતે 7 બોલમાં 18 રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજી ઓવરના પહેલા બોલ પર હર્ષિત રાણાના હાથે કેચ આઉટ થયો હતો.
હર્ષિતે ફુલ-ટોસ ફેંક્યો હતો, જેને કોહલીએ નો-બોલ માનીને બેટને આગળ ધપાવ્યું હતું. જોકે પાછળથી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, હોક-આઈ સિસ્ટમમાં જાણવા મળ્યું કે જો કોહલી ક્રિઝની અંદર ઊભો રહ્યો હોત, તો બોલ તેની કમરની ઊંચાઈથી નીચે હોત. આ નિર્ણયને કારણે કોહલી મેદાન પરના અમ્પાયર સાથે ઝઘડો થયો હતો.
વિરાટ કોહલીએ થોડો સમય અમ્પાયર સાથે દલીલ કરી પરંતુ તેનો ગુસ્સો હજુ શમ્યો ન હતો. કોહલી જ્યારે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે પોતાનું બેટ જમીન પર ફેંકી દીધું. આ પછી તેણે ડસ્ટબીન પર જોરથી મુક્કો મારીને પોતાનો ગુસ્સો પણ વ્યકત કર્યો હતો. કોહલીએ પણ ગેરવર્તણૂક અને મેચ રેફરીના દંડના નિર્ણયનો સ્વીકાર કર્યો છે.
સત્તા પર આવ્યા પછીથી PM મોદીએ 10 વર્ષમાં કેટલી રજા લીધી અને કેટલા કલાક કામ કર્યું? જાણી લો જવાબ
આ મામલામાં ભૂતપૂર્વ ક્રિકેટરોની સંડોવણીને કારણે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ થવા લાગ્યો. હિન્દી કોમેન્ટ્રી દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ દાવો કર્યો હતો કે તેને નો-બોલ કહેવા જોઈએ. સિદ્ધુએ એમ પણ કહ્યું છે કે આ નિયમ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની જરૂર છે. તેમના મતે બેટ્સમેનને શંકાનો લાભ મળવો જોઈતો હતો અને વિરાટ કોહલી વાસ્તવમાં નોટઆઉટ હતો.