India News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકાળમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 10 વર્ષમાં ઘણી સરકારી રજાઓ હતી. પરંતુ, પીએમ મોદીએ આ દરમિયાન એક પણ રજા લીધી નથી. આરટીઆઈ દ્વારા આ માહિતી બહાર આવી છે. વાસ્તવમાં વારાણસી સ્થિત RTI કાર્યકર્તા અને દ્રષ્ટિ IAS કોચિંગ પ્રોફેસર શેખર ખન્નાએ વડાપ્રધાન કાર્યાલય પાસે PM નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન રજાઓની વિગતો માંગી હતી.
જ્યારે 15 એપ્રિલે આ આરટીઆઈનો જવાબ શેખર ખન્ના પાસે આવ્યો તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. જવાબ મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં સત્તા સંભાળ્યા બાદથી સતત ફરજ પર છે. તેણે એક દિવસની પણ રજા લીધી નથી. આ જવાબ જોઈને શેખર ખન્ના પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તમને જણાવી દઈએ કે જ્યારે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો. ત્યારે તેમના સવાલના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ દિવસમાં માત્ર સાડા ત્રણથી ચાર કલાક જ ઊંઘે છે. બાકીના દિવસોમાં તે 18 કલાક કામ કરે છે.
1 મહિનાની અંદર જવાબ આવ્યો
શેખર ખન્નાએ જણાવ્યું કે તેમણે 16 માર્ચ, 2024ના રોજ પૂછપરછના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રજા અંગે પીએમઓ પાસેથી માહિતી માંગી હતી. એક મહિનાની અંદર વડા પ્રધાન કાર્યાલયના અધિક સચિવ પ્રવેશ કુમાર દ્વારા તેમને લેખિત માહિતી મોકલવામાં આવી હતી.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
2014માં લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારથી પીએમ મોદી આ પદ પર યથાવત છે. તેમણે 10 વર્ષમાં એટલે કે 3650 દિવસમાં 65700 કલાક દેશની સેવામાં સમર્પિત કર્યા. મતલબ કે પીએમ મોદી દેશની સેવામાં દરરોજ 18 કલાક સતત કામ કરે છે.