Cricket News: MS ધોની IPL 2024ની શરૂઆતની મેચ સાથે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. RCB અને CSK વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ પહેલા ભારતના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ એમએસ ધોનીને ખાસ અપીલ કરી હતી. ગુરુવારે ધોનીએ RCB સામે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી. આઈપીએલ 2024માં ધોની પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરતાં રૈનાએ કહ્યું કે ધોની માટે આ એક મોટી આઈપીએલ હશે કારણ કે તે ટીમની કપ્તાની નહીં કરે પરંતુ આશા રાખશે કે CSK આ સિઝનમાં પણ તેની ચેમ્પિયનશિપ માનસિકતા જાળવી રાખશે.
રૈનાએ કહ્યું- સૌથી સારી વાત એ છે કે તે ફિટ દેખાઈ રહ્યો છે. તે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે પરંતુ, હું તેને ક્રમમાં ઉપર બેટિંગ કરવા ઈચ્છું છું. આખી દુનિયા તેને માત્ર છેલ્લી બે ઓવર નહીં પણ પાંચ ઓવર સુધી બેટિંગ કરતા જોવા માંગે છે. જ્યારે તે ક્રિઝ પર આવશે ત્યારે તેને સ્થાયી થવામાં થોડો સમય લાગશે અને તે પછી તમે તેના હેલિકોપ્ટર શોટ્સનો આનંદ માણશો. તેણે આગળ કહ્યું- તેનું ઓપરેશન થયું છે, તે કેપ્ટનશિપ નહીં કરે, તેથી તે તેના માટે એક મોટી IPL હશે. તે આશા રાખશે કે CSK તેનો વારસો આગળ ચાલુ રાખે. આવું ત્યારે થશે જ્યારે રૂતુરાજ, શિવમ દુબે અને ડેરીલ મિશેલ તેમની જવાબદારી સારી રીતે નિભાવશે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું RCB મેચમાં CSKને હરાવી શકે છે, જ્યાં યલો આર્મીએ રમાયેલી 64 મેચમાંથી 45 જીતી હતી. રૈનાએ કહ્યું, ‘મને લાગે છે કે RCB પાસે CSKને હરાવવાની ટીમ છે. આ સિવાય સીએસકે સામે જે પણ ટીમ રમશે તે કહેશે કે ઋતુરાજ હવે કેપ્ટન છે અને ધોની નહીં, તેથી તેનાથી વિરોધી ટીમનું મનોબળ પણ વધી શકે છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
વિરાટ કોહલી બે મહિનાના વિરામ બાદ RCB માટે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરશે. તે છેલ્લી IPL બાદ માત્ર બે T20 મેચ રમ્યો છે. 37 વર્ષીય ખેલાડીએ વધુમાં કહ્યું કે તેને લાગે છે કે વિરાટ ફાફ ડુ પ્લેસિસ સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. CSK અને RCB વચ્ચેની ઓપનિંગ મેચ શુક્રવારે રાત્રે 8 વાગ્યે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે.