Cricket News: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ચોથી મેચ આવતીકાલે સાંજે 7:00 વાગ્યે રાયપુરમાં રમાશે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની શ્રેણીમાં હજુ પણ 2-1થી આગળ છે. જો ટીમ ઈન્ડિયા ચોથી T20 મેચ જીતી જશે તો તે પાંચ મેચની સિરીઝ પર કબજો કરી લેશે. ટીમ ઈન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવાની તક છે. ભારતને ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ચોથી T20 મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે.
ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલની જોડી ઘણી ખતરનાક છે અને આ બંને બેટ્સમેન પાવર-પ્લેમાં રન બનાવવામાં માહિર છે. ત્રીજી ટી-20 મેચમાં રુતુરાજ ગાયકવાડે શાનદાર ટી20 સદી ફટકારી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ચોથી T20 મેચમાં પણ ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ મેચને એક ક્ષણમાં બદલવામાં નિષ્ણાત છે.
મધ્યમ ક્રમ
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. શ્રેયસ અય્યર ચોથા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. આવી સ્થિતિમાં તિલક વર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5માં નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ફિનિશર રિંકુ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવાની તક આપી શકે છે.
ઓલરાઉન્ડર
ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20 મેચમાં નંબર 7 બેટિંગ પોઝિશન પર તક આપવામાં આવી શકે છે. વોશિંગ્ટન સુંદર ઓફ સ્પિન બોલિંગ સાથે બેટિંગમાં ટીમ ઈન્ડિયાને મજબૂત કરશે. જો વોશિંગ્ટન સુંદર રમે છે તો અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
બોલિંગ વિભાગ
સ્પિન બોલિંગ વિભાગમાં લેગ સ્પિનર રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવી શકે છે. રવિ બિશ્નોઈ ચોથી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ખતરો સાબિત થશે. ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન અને દીપક ચહરને તક આપશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. અર્શદીપ સિંહ પ્રથમ 3 T20 ઈન્ટરનેશનલ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો છે.