Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેણે અંગત કારણોસર ટીમ છોડવાનો નિર્ણય લીધો હતો. આ અંગે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને જાણ કરવાની સાથે વિરાટે બીસીસીઆઈને પણ આ અંગે જાણ કરી હતી. પસંદગીકારોએ ભારત A માટે સદી ફટકારનાર બેટ્સમેનને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે અંગત કારણોસર આ નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે પસંદ કરાયેલી ટીમમાં ફેરફાર કર્યા છે. વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે.
હવે કોહલીનું સ્થાન કોણ લેશે?
🚨 Toss Update 🚨
England win the toss in Hyderabad and elect to bat in the 1st #INDvENG Test.
Fast bowler Avesh Khan has been released to play for his Ranji trophy team, Madhya Pradesh for their next Ranji Trophy fixture.
Rajat Patidar has joined the team as Virat Kohli's… pic.twitter.com/g9TfcLZZvs
— BCCI (@BCCI) January 25, 2024
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં જે ટીમ સાથે મેદાનમાં ઉતરી રહી છે તેમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. BCCIએ ગુરુવારે વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રજત ટીમ સાથે જોડાઈ ગયો છે. જ્યારે ફાસ્ટ બોલર અવેશ ખાનને રણજી ટ્રોફી મેચ રમવા માટે ટીમ ઈન્ડિયામાંથી મુક્ત કરવામાં આવ્યો છે.
રજત પાટીદારે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની તાજેતરની મેચોમાં ઈન્ડિયા A તરફથી રમતા સતત સદી ફટકારી છે. અમદાવાદમાં બે દિવસીય મેચમાં 111 રનની ઇનિંગ રમી હતી. આ પછી, પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં તેની 151 રનની શાનદાર ઇનિંગે પસંદગીકારોને પ્રભાવિત કર્યા.